Abtak Media Google News

ભગવાન સ્વામિનારાયણનું ષોડસોપચાર પૂજન, લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન તથા ચોપડા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા: હજારો હરિભકતોએ લીધો લાભ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની પાવન તીર્થ ભૂમિમાં પૂજય ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો-મહંતોની પાવન નિશ્રામાં દીપાવલીના પાવન મહાપર્વ નિમિતે ભગવાન શ્રી સ્વામિનારાયણનું ષોડસોપચાર પૂજન સાથે લક્ષ્મીપૂજન, સરસ્વતી પૂજન, ચોપડા પૂજનનું અનુપમ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં રાજકોટ શહેરના ૫૫૦થી વધુ ભાવિકો, અગ્રણીઓ, ઉધોગપતિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ અવસરે ભૂદેવોએ વિધિવિધાન સાથે પૂજન-અર્ચન કરાવ્યું હતું. કાર્યક્રમમાં સંતો અને સ્વામી મહંતોએ ઉપસ્થિત ભાવિકોને દીપોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી આશીર્વચન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.