રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તા.૨૬ને ગુરુવારે સાંજે ૫ કલાકે જળયાત્રા તથા તા.૨૭ને શુક્રવારે સવારે ૬:૧૫ કલાકે ઘનશ્યામ મહારાજનો અભિષેક, સાંજે ૭ થી ૮ કલાકે નિત્ય ધુન-સત્સંગ, ૯ થી ૧૨:૩૦ કલાકે ગુરુવંદના કાર્યક્રમ, ૯:૦૦ કલાકે અન્નકુટ દર્શન-આરતી તથા ૯ થી ૧૨ કલાક દરમિયાન શ્રી હરીયાગ સહિતના કાર્યક્રમોની વણઝાર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમાં મહોત્સવ યજમાનો દ્વારા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ, સંત-ભોજન-પુજન, અન્નકુટના દર્શન, બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
Trending
- ઉનાળામાં છોડને સ્વસ્થ રાખવા માટે આ રીતે હિંગનો ઉપયોગ કરો
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?
- ED દ્વારા જપ્ત કરાયેલી રોકડનું શું થાય છે?
- શું ઘરમાં કીડીઓનો ત્રાસ વધ્યો છે?