Abtak Media Google News

બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે: કાગવડના આગેવાનો રહેશે ઉ૫સ્થિત

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થ દ્વારા આગામી તા.ર૩ ને રવિવારે સવારે ૮ થી ૧૨.૩૦ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન શિબિર સરદાર પટેલ ભવન, ખીજડાવાળો રોડ, પાણીના ટાંકાની સામે માલવીયાનગર પોલીસ સ્ટેશન વાળી શેરી ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના આગેવાનો ખાસ હાજરી આપશે.

આજે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, નિદાન કેમ્પનો લાભ ૩૫૦ જેટલા દર્દીઓ લેશે. ૨૦૦ બોટલ રકત પણ બ્લડ ડોનેશન કેમ્પ થકી એકત્ર થશે કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થના પ્રમુખ જયસુખભાઇ ડોબરીયાની આગેવાનીમાં કાંતિચાઇ સાકરીયા, જયેશભાઇ દુધાત્રા, નીલેશભાઇ વિરાણી, ભાવેશભાઇ સોજીત્રા, યોગેશભાઇ શેખડા સહીતના હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.