Abtak Media Google News

જીલ્લાના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશનથી યુવાનોને પ્રોત્સાહીત કરી હેદ્રાબાદ રવાના કરાયા

રાષ્ટીય ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અટલ યુવા મહા અધિવેશન હૈદરાબાદ ખાતે આગામી તારીખ ૨૭ તેમજ ૨૮ ઓક્ટોમ્બર ૨૦૧૮ ના રોજ યોજાવાનું હોય સમગ્ર ભારત વર્ષમાંથી ભારતીય જનતા યુવા મોરચાના યુવાનો હૈદરાબાદ ખાતે એકત્રિત થશે.

આ અધિવેશન મા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટીય અધ્યક્ષા શ્રી પૂનમબેન મહાજન તથા અનેક ભાજપના રાષ્ટીય નેતાઓ યુવાનોને માર્ગદર્શીત કરવાના હોય, ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાત માંથી ૩૦૦૦ થી વધારે યુવાનો આ મહા અધિવેશનમાં જવા માટે આજે રવાના થયેલ છે.

Fb Img 1540483560271ભારતીય જનતા યુવા મોરચા સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આ અધિવેશનમાં જવા માટે યુવા મોરચાના પ્રમુખ મૃગેશભાઈ રાઠોડ ની આગેવાનીમાં આજે બપોરનું ભોજન શ્રી સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર ખાતે લઇ બપોરે ૨ વાગે ૧૦૧ કાર્યકર્તા સાથે સ્પેશ્યલ ટ્રેનમાં હૈદરાબાદ ખાતે રવાના થયા…

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિજયભાઈ ભગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી શક્તિસિંહ ચાચું જિલ્લા યુવા પ્રમુખ મૃગેશભાઈ રાઠોડ જિલ્લા યુવા મહામંત્રી ચેતનભાઈ શેઠ જિલ્લા યુવા મહામંત્રી પ્રદીપસિંહ રાણા જિલ્લા યુવા મંત્રી પૃથ્વીરાજસિંહ રાઠોડ જિલ્લા યુવા મંત્રી દિલીપભાઈ ગોહિલ જિલ્લા યુવા કારોબારી વિજેન્દ્રસિંહ ડોડિયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જક્શન રેલ્વે સ્ટેશનથી યુવાનોને પ્રોત્સાહિત કરી હૈદરાબાદ જવા રવાના થયા…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.