Abtak Media Google News

અખંડ ભારતીય હિન્દુ સેના દ્વારા જિનપિંગના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા શપથ લેવામાં આવ્યા હતા.ભારત અને ચીન વચ્ચેની સરહદ પર આવેલ સરહદી રાજ્ય સિક્કિમ લડાખ અરુણાચલ માં ચીન દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારતીય સેના દ્વારા અડગ અને અડીખમ રહી સરહદ પર માઈનસ ઝીરો ડિગ્રી તાપમાન વચ્ચે ફરજ બજાવી રહ્યા છે તાજેતરમાં ચીની સૈનિકો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા જેઓને ભારતીય ક્ધયા દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

આ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અખંડ ભારતીય સેના દ્વારા વિજય ચોક વિરમગામ ખાતે યોજવામાં આવેલ હતો જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.