Abtak Media Google News

વઢવાણના ધારાસભ્યે સુરેન્દ્રનગરથી વિરમગામ જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજય સરકારમાં કરી હતી. આ રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇને એમ બે રીતે જઇ શકાય છે. જેમાં લીંબડી હાઇવે ચાર માર્ગીય હોવાથી લોકો તેમાં જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હવે વાયા લખતર થઇને જતો રસ્તો પણ ચાર માર્ગીય બનનાર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કીમી રસ્તાને ચાર માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.