Abtak Media Google News

વોર્ડ નં.૫માં સંપનું તેમજ સ્વામીનારાયણ મંદિર નજીક પેવર બ્લોકનું ખાતમૂહૂર્ત : ટીબી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરાયું

ભારતરત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનનુ એક વર્ષ પૂર્ણ થયું હોય સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા ત્રિવેણી કાર્યક્રમ યોજાયો…

વોર્ડ નંબર ૫ માં આઈ.પી.એસ સ્કૂલની નજીક આવેલ પાણીની ટાંકીમા સંપનું ખાતમુર્હત ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા હસ્તે કરવામાં આવ્યું.સાથોસાથ નવા જકશન પાસે સ્વામિનારાયણના મંદિર પાસે પેવરબ્લોક લગાવવાની કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી. અને સી.યુ.શાહ મેડિકલ કોલેજ એટલે કે ટી.બી.હોસ્પિટલ માં આવેલ જનરલવોર્ડમાં ફુટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો…

આ ત્રિવેણી કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય  વર્ષાબેન દોશી, નગરપાલિકાના ચીફ ઓફિસર  વી.વી.રાવળ, એન્જિનિયર હેરમા, કારોબારી ચેરમેન અશોકસિંહ, ભાસ્કરભાઈ દવે, જામાભાઈ ગરીયા, બીપીનભાઈ ખાંભલા, મહેન્દ્રભાઈ પટેલ, ભાવેશભાઈ પ્રજાપતિ, ચેતનભાઇ કાલીયા, કૈલાસબેન, દીપકભાઈ ડાબેચા, કમલેશભાઈ, તથા મહામંત્રીઓ, ધર્મેન્દ્રભાઈ પારસ, જયદીપસિંહ ઝાલા,  બી. એલ.વેગડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.