Abtak Media Google News

ધો.૧૨માં નાપાસ થતા યુવતીએ, નોકરી ન મળતા બેરોજગારે અને બિમારીથી કંટાળી યુવાને જીંદગીનો અંત આણ્યો

જૂનાગઢ શહેરની એક યુવતીએ અભ્યાસમાં અસફળતા મળતા જ્યારે વંથલી પંથકની એક હોશિયાર યુવતીએ નોકરી ના મળતા અને વંથલીનાં એક વ્યકિતએ બીમારીથી કંટાળી આત્મ હત્યા કરી લીધાનુ પોલીસ દફતરે નોંધાયું છે.

જૂનાગઢના જોષીપરા વાવ ફળીયામાં રહેતા અંકીતા કેશુભાઇ  વાસણ (ઉ.વ.૧૯) ધો.-૧૨મા બે વખત નાપાસ થઇ જતા લાગી આવતા પોતાની મેળે પોતાના ઘરે પંખામા ચંદડી બાંધી ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

વંથલીના ટીનમસ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અમરાભાઇ મનજીભાઇ મહિડાની દીકરી કાજલ બેન (ઉ.વ.૨૫) ભણવામાં હોશીયાર હોય અને પીટીસી તથા ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કરેલ હોવા છતા અને નોકરી માટે સતત પ્રયત્ન કરવા છતા કોઇ નોકરી મળેલ ન હોય જેથી લાગી આવતા પોતે પોતની મેળે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

જ્યારે વંથલી હાઇસ્કુલ રોડ ખાતે રહેતા હેમંતભાઈ જીવાભાઇ માકડીયાએ કમરના દુખાવાના કારણે મનથી કંટાળી જઇ પોતે પોતાની મેળે પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી ગળા ફાંસો ખાઇ આત્મ હત્યા કરી લીધી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.