Abtak Media Google News

મોરબીના લાયન્સનગરમાં રહેતી પરિણીતાએ માનસિક તનાવના લીધે ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં રહેતી કાજલબેન સુનિલભાઈ દેવીપૂજક ઉ.વ.૨૦ નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતકના પતીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે તેમની પત્ની છેલ્લા બે દિવસથી માનસિક માનસિક તણાવમાં રહેતી હતી. હતાશ થઈ જવાથી તેને આ પગલું ભર્યું હતું. પોલિસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.