Abtak Media Google News

આજકાલના વ્યસ્ત જીવનમાં લોકો પોતાની જાતને જ ભૂલી જાય છે. ઘર અને બહારના તણાવથી શરીર પર પણ ખૂબ નકારાત્મક અસર પડે છે. જેનાથી તેના સ્વાસ્થ્યને પણ નુકશાન થાય છે. સ્ટ્રેસ સિવાય પણ અનેક કારણ હોય છે. જે કોઇ વ્યક્તિના જીવન પર અસર કરતું હોય છે. તણાવ, ઓફિસની જંજટ, સગાસંબંધીની સમસ્યાઓને ઉકેલવા જો કોઇ મદદ કરે તો કોણ…? તો હવે આ સમસ્યાનો ઉકેલ લઇને આવી છે એવી એપ જેના દ્વારા મનોવૈજ્ઞાનિક પાસે તમે ખુલ્લા મને તમારુ મન હળવું કરી શકશો અને યોગ્ય સલાહ પણ મેળવી શકશો. જેમાં તમારી પ્રાઇવેસીની પણ પૂરી તકેદારી રાખવામાં આવિ છે. આ એપ એકદમ વોટ્સએપ જેવી જ છે. આ એપ સાથે કેટલાંક મનોવૈજ્ઞાનિકો જોડાયેલા હશે જે તમારી સમસ્યાઓનું સમાધાન કરશે. ક્યાંય પણ મનગમતા મનોવૈજ્ઞાનિક સાથે સંપર્ક કરી અને તેની સાથે વાત કરી શકશે.

આ એપની શરુઆતની ૩૦ મિનિટ જ તમે ફ્રિમાં થેરાપી લઇ શકો છો, ત્યારબાદ તમારે સમય માટે મૂલ્ય ચૂંકવવાનું આવશે. જેની કિંમત ૧૦ રૂ. પ્રતિ મિનિટ રહેશે. એપ યુઝર્સને ૩૦૦‚. પ્રતિ સત્રની ફી આપવાની રહેશે. જ્યારે ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોલેજ સ્ટુડેન્ટ રાહતના દર રહેશે. આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે પ્લે સ્ટોર પર અનેક યુઝર્સએ કંપલેઇન્ટ પણ કરી છે. કે તરત જ સર્વિસ નથી મળી અને ઓટીપી નથી આવતા…..

પરંતુ જો થોડી દરકાર રાખીને આ એપ કાર કરશે તો અત્યારના જમાનામાં યુવા પેઢીને તેની વધુ જરુરત રહેશે તેવું તેની લાઇફ સ્ટાઇલથી દર્શાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.