Abtak Media Google News

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ર૩મી જાન્યુઆરી ૧૮૯૭માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. બાળપણમાં જ અંગ્રેજ અફસરોના ભારતવાસીઓ પ્રત્યેના તિરસ્કારયુકત વર્તનના કારણે બાળ સુભાષચંદ્રને અંગે્રજો પ્રત્યે નફરત હતી જ તેઓ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઇ તેમના શિષ્ય બન્યા હતા.

દેશમાં ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ પૂર્ણ કરી વિદેશમાં ભણીને આઇ.સી.એસ. (ઇન્ડીયન સીવીલ સર્વીસ) ની પરીક્ષામાં ચોથા ક્રમે ઉર્તીણ થયા. પરંતુ અંગ્રેજ શાસનમાં ભારતની ગુલામીની દશા જોઇ તેમનું લોહી ઉકળી ઉઠયું અને સરકારી નોકરીને ઠોકર મારી, દેશની આઝાદીની લડાઇને વધુ મહત્વપૂર્ણ માની સ્વાતંત્ર સેનાનીઓના રસ્તે ચાલી નીકળ્યા.

ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી અંગ્રેજો સામેના અસહયોગ આંદોલનમાં જોડાયા ૧૯૩૮ અને ૧૯૩૯ માં બે વખત રાષ્ટ્રીય કોંગૅ્રેસના અઘ્યક્ષ બન્યા. તેઓને લાગ્યું કે માત્ર અહિંસક લડતથી આઝાદી મળશે નહીં. અંગ્રેજોને હાંકી કાઢવા સશસ્ત્ર, રાજનીતિ તથા કુટનીતી ક્ષેત્રે પણ લડાઇ લડવી પડશે. તેથી તેઓએ ક્રાંતિકારીઓનો રસ્તો પસંદ કર્યો. આ દરમ્યાન વિશ્ર્વમાં બીજુ વિશ્ર્વયુઘ્ધ ફાટી નીકળયું. તેઓએ લાગ જોઇ અંગ્રેજોના દુશ્મન દેશોનો સાથ લેવાનુ નકકી કર્યુ. આ સમયે કલકતા ખાતે અંગ્રેજોએ તેઓને નજર કેદ રાખેલ હતા. ત્યાંથી અંગ્રેજ સિપાઇઓના સખત પહેરા હેઠળથી પણ તેઓ વેશપલ્ટો કરીને છટકી ગયા. જર્મન રેડીયો ઉપરથી જયારે તેઓએ દેશને સંબોધન કર્યુ ત્યારે બધાને ખબર પડી કે નેતાજી તો જર્મની પહોંચી ગયા છે. અને અંગ્રેજ શાસકોને આશ્ર્ચર્ય સાથે આંચકો લાગ્યો. જર્મનીથી તેઓ જાપાન ગયા. જાપાની રેડીયો પરથી ભારત દેશવાસીઓને સંબોધનમાં તેઓએ પ્રથમ વખત ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોઘ્યા.

તેઓ જાપાનથી સિંગાપુર પહોચ્યા, જયાં તેઓએ કેપ્ટન મોહનસિંહ દ્વારા સ્થાપવામાં આવેલા ‘આઝાદ હિન્દ ફોજ’માં ભારતીય સેનાના યુઘ્ધ કેદીઓઓનો સમાવેશ કરી પુનરચના કરી તેની કમાન પોતાના હાથમાં લીધી. મહિલાઓ માટે રાણી લક્ષ્મી રેજીમેન્ટની  સ્થાપના કરી જેનું સુકાન લક્ષ્મી સહગલને સોંપવામાં આવ્યું. ‘આઝાદ હિન્દ ફોજ’સાથે તેઓ બર્મા પહોચ્યા. ત્યાં તેઓએ પોતાનો પ્રસિઘ્ધ નારો‘તુમ મુઝે ખૂત દો, મૈં તૂમ્હે આઝાદી દુંગા’ આપ્યો તથા ‘જયહિન્દ’નું રાષ્ટ્રીય સૂત્ર પણ આપ્યું. ત્યાંથી તેઓએ ફોજના કેપ્ટન તરીકે ‘ચલો દિલ્હ’ ની હાકલ કરી.

કમનસીબે બીજા વિશ્ર્વયુઘ્ધમાં જાપાન સહિતના સાથી દેશોની હાર થઇ એટલે નેતાજી ‘આઝાદ હિન્દ સરકાર’દિલ્હીનું શાસન ન લઇ શકી પણ અંગ્રેજ સલ્તનતના પાયા જરુર હચમચી ગયા. ભલે પ્રત્યક્ષ રીતે ‘દિલ્હીનું શાસન ન લઇ શકી પણ અંગ્રેજ સલ્તનતના પાયા જરુર હચમચી ગયા, ભલે પ્રત્યક્ષ રીતે આઝાદ હિન્દ ફોજ’ની હાજર થઇ પણ પરોક્ષ રીતે આઝાદીની લડતમાં તેની ઘણી મોટી અસર થઇ અને એટલે જ ૧૯૪૬ માં નૌસેનાના વિદ્વાહથી અંગ્રેજ શાસકોને ઠુકરાઘાત લાગ્યો. એક બાજુ ગાંધીજીની આગેવાનીમા સત્યાગ્રહીઓની અહિંસક લડત અને બીજી બાજુ ક્રાંતિકારીઓની શસસ્ત્ર લડતથી અંગ્રેજો સમજી ગયા કે હવે ભારત પર શાસન કરવું મુશ્કેલી છે. અને અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી.

આમ નેતાજી સુભાષચંદ્ર બોઝ એક એવું નામ છે જે સાંભળીને જ મનમાં દેશભકિતની ભાવનાના મોજા ઉછળવા માંડે, નિરાશા દૂર થઇ જાય અને રાષ્ટ્રહિતમાં કંઇક કરી છૂટવાની તમન્નાઓ મનમાં ઉભરાવા લાગે. નેતાજી ઉપનામ જ તેમના જીવન વિશે ઘણું બંધુ કહી દે છે. તેઓએ કદીપણ પોતાના સિઘ્ધાંતો સાથે બાંધછોડ કરી નથી. દેશની આઝાદી માટે પોતાનું બધુ ન્યોછાવર કરી દીધું. એક ક્ષણનો પણ વિલંબ  કર્યા વગર પોતાનું જીવન રાષ્ટ્રસેવામાં લગાડી દીધું. તેઓની નસે નસમાં રાષ્ટ્રભકિત ઠસોઠસ ભરેલી હતી. મા ભોગ કાજે બલીદાન દેનાર એક સાચા સૈનિક, કેપ્ટન, નેતા, રાજનીતીજ્ઞ, કુટનીતીજ્ઞ, ક્રાંતિવીર અને માં ભારતના દિવ્ય સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને જન્મ જયંતિ નિમીતે કોટી… કોટી…. કોટી… વંદન

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.