Abtak Media Google News

હડતાળ નો આજે બીજો દિવસ:જીલ્લા ના બે દિવસ મા ૫૦ હજાર થી વધુ મુસાફરો રઝળી પડયા…

અનેક  પડતર માગણી સાથે આજે બીજા દિવસે સુરેન્દ્રનગર બસ ડેપો સદંતર બંધ…

સમગ્ર ગુજરાત મા તમામ એસટી ડેપો મા કર્મચારીઓ ની અનેક માગણી ઓ સ્વીકારવામા ન આવતા આજે ગુજરાત ના એસટી ડેપો ના તમામ કર્મચારીઓ cl પર ઉતરી ગયા છે અને આજે ગુજરાત રાજ્ય ના તમામ એસટી ડેપો ના તમામ કર્મચારીઓ cl ઉપર ઉતરી જતાં બસો ના પૈડાં થંભી ગયા છે.

Img 20190222 091722

ત્યારે આજે સમગ્ર ગુજરાત મા gsrtc ના તમામ કર્મચારીઓ પડતર માંગણીઓ અને અનેક પ્રકારના પ્રશ્નો ને કારણે આજે રજા ઉપર ઉતરી ગયા છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના અને તાલુકા ના એસટી ડેપો ના કર્મચારીઓ પણ રજા ઉપર ઉતરી જતાં આજે સુરેન્દ્રનગર જીલ્લા ના તમામ ડેપો બંધ છે.

ત્યારે સુરેન્દ્રનગર અને સમગ્ર ગુજરાત મા એસટી ડેપો ના કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં બસો ના પૈડાં થંભી ગયા છે ત્યારે પેસેન્જર ને બસ સ્ટેન્ડ ઉપર આજે ધર્મ નો ધક્કો થાય છે અને ભારે હાલાકી નો સામનો ભોગવો પડી રહ્યો છે.

Img 20190222 091713

ત્યારે સમગ્ર ગુજરાત ના એસટી ડેપો ના ૪૦ હજાર થી વધુ કર્મચારીઓ પડતર પ્રશ્નો અને અનેક માગણી ઓ સાથે રજા ઉપર ઉતરી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ ૫૦૦ થી વધુ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં આજે સુરેન્દ્રનગર જીલ્લા મા સદંતર એસટી ડેપો બંધ છે.ત્યારે આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર ડેપો ની તમામ રૂટો ની બસો બંધ છે.

ત્યારે એસટી કર્મચારીઓ દવારા ૨ દિવસ ના ધરણાં કરવા છતાં કોઈ નિર્ણય ના આવતા ગુજરાત ભર ના તમામ એસટી બસ ના કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે ત્યારે આ કર્મચારીઓ ની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ અને કર્મચારીઓ રજા ઉપર રહેશે તેવી હાલ વિગત જાણવા મળી રહી છે.

સુરેન્દ્રનગર જીલ્લા એસ.ટી ડેપોમાં કર્મચારીની હડતાલથી ૨૦ હજાર થી વધુ મુસાફરો રઝળ્યા 

Screenshot 2019 02 22 09 16 38 878 Com.miui .Videoplayer

રાજ્યભરમા એસ.ટી કમઁચારીઓ દ્વારા આજે હડતાલના પ્રથમ દિવસે જ હાહાકાર મચી ગયો હતો ત્યારે રાજ્યની તમામ બસોના ગઇકાલે મોડીરાતથી પૈડા થંભી જતા અનેક મુશાફરો રઝળી પડ્યા હતા. માત્ર ધ્રાગધ્રા ડેપોની જો વાત કરીએ તો ધ્રાગધ્રા એસ.ટી ડેપોની 42 સરકારી બસોના પૈડા થંભી જતા 213 જેટલી ટ્રીપો કેન્સલ કરવાથી વિધાથીઁ સહિત 9000 જેટલા મુશાફરો રઝળી પડ્યા હતા સાથે માત્ર ધ્રાગધ્રા એસ.ટી ડેપોમા દરરોજ થતી સરકારી આવક 3.50 લાખનુ નુકશાન સરકારને ભોગવવુ પડ્યુ છે. આશરે 200થી વધુ કમઁચારીઓ આજના દિવસે હડતાલમા જોડાયા હત

સવારથી જ એસ.ટી બસો બંધ રહેતા ધ્રાગધ્રા ડેપોમા ચકલુય ફરકે નહિ તેવી સ્થિતી સજાઁઇ છે. એસ.ટી કમઁચારીના મુખ્ય પ્રશ્નો સાતમુ પગાર પંચ આપવા, 2010થી એસ.ટી નિગમમા ફરજ બજાલનારા ટેમ્પરરી કમઁચારીઓને કાયમી કરવા, ફિક્સ પગારના તમામ કમઁચારીઓને સરકારી ધારાધોરણ મુજબ લાભ મળે તેવા અનેક પડતર પ્રશ્નો રજુ કરી અનિચ્છીત રાજ્યવ્યાપી હજતાલ પ્રારંભ કરાઇ છે ત્યારે એસ.ટી નિગમના કમઁચારીઓ દ્વારા ટુંક સમયમા સરકાર આ તમામ પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

Screenshot 2019 02 22 09 16 24 540 Com.miui .Gallery

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.