Abtak Media Google News

મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસની સમજાવટ બાદ હડતાલ સમેટાઈ

મોરબી નગરપાલિકા કચેરી હમેશા માધ્યમોમાં ચમકતી રહે છે નાગરિકોને સુવિધા ના આપી સકતા નગરપાલિકા તંત્રમાં આજે સામાજિક આગેવાન અને પાલિકાના કર્મચારી વચ્ચે જન્મમરણ દાખલા બાબતે ઝઘડો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

જોકે પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હોય અને પોલીસની દરમિયાનગીરી બાદ પાલિકા કર્મચારીઓએ હડતાલ સમેટી ફરીથી કામે લાગ્યા હતા.

મોરબી નગરપાલિકા કચેરીમાં જન્મમરણ બારીએ બેસતા કર્મચારી મંગલસિંહ આજે પોતાનું કામકાજ કરતા હોય દરમિયાન સામાજિક આગેવાન મનુભાઈ સારેસા ત્યાં ગયા હોય અને બંને વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો જે બનાવને પગલે પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો સામાજિક આગેવાન દ્વારા અવારનવાર પાલિકા કચેરીએ કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ બહાર નીકળી આવ્યા હતા અને પાલિકાને તાળાબંધી કરીને હડતાલની જાહેરાત કરી હતી તેમજ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી દ્વારા બંને પક્ષની સમજાવટ કરવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો તેમજ પોલીસની સમજાવટથી પાલિકાના કર્મચારીઓ હડતાલ સમેટી લઈને કામકાજ પુન: શરુ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.