Abtak Media Google News

રાજકોટ નગર પ્રામિક શિક્ષણ સમિતિ હસ્તકની ૭૭ શાળાઓમાં મંત્રી જયેશ રાદડીયા સહિત પદાધિકારીઓ, પોલીસ કમિશનરે બાળકોને પ્રવેશ કરાવ્યો: ધો.૧માં કુલ ૪૦૪૯ બાળકોનું નામાંકન

સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારોની શાળા પ્રવેશોત્સવનો બીજો તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. જે અન્વયે રાજકોટ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૭૭ પ્રામિક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ આજે અને કાલે યોજાનાર છે. આ શાળા પ્રવેશોત્સવ માંનવા પ્રવેશ પાત્ર બાળકો અને પુન: પ્રવેશ પાત્ર મળીને કુલ ૪૦૪૯ બાળકોને ધો. ૧ માં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રવેશ પાત્ર બાળકોમાં કુલ ૨૧૨૩ કુમાર અને ૧૯૭૧ કન્યાઓનો સમાવેશ થાય છે.

આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ૬ જેટલી બાળાઓને વિદ્યા લક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યકમમાં ૭૭ શાળાઓને ૧૬ રુટ બનાવીને આવરી લેવામાં આવશે.  પા… પા… પગલી કરીને આવતા નાના ભૂલકાઓને શાળામાં આવકારવા અને પ્રોત્સાહિત કરવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા સહિતના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતા.

આ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મહાનગરપાલિકા સંચાલીત માધ્યમિક શાળાઓમાં વિર્દ્યાથીનીઓને પ્રવેશ અપાશે. તેમજ આંગણવાળી કેન્દ્રોમાં નાના ભુલકાઓને ૫ણ પ્રવેશ અપાશે.

Gujarat News | Rajkot
gujarat news | rajkot

બે દિવસીય શાળા પ્રવેશોત્સવમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર ભાવનાબેન આચાર્ય,  અંજલીબેન રૂપાણી, નાયબ મેયર અશ્વિનભાઈ મોલિયા, દંડક અશ્વિનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા  દલસુખભાઈ જાગાણી, સ્ટે. કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અગ્રણીઓ નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન  અંજલીબેન મોરઝરિયા, વિરોધપક્ષના નેતા  વશરામભાઇ સાગઠીયા, અગ્રણીઓ ભીખાભાઈ વસોયા, જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નગરપ્રામિક શિક્ષણ સમિતિના સભ્યો સર્વે  મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ રાઠોડ, કિરણબેન માંકડિયા, ડો. ગૌરીબેન ધ્રુવ, ધીરજભાઈ મુંગરા, ડો. રાજેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ચાવડા,  જગદીશભાઈ ભોજાણી, ભારતીબેન રાવલ, રહીમભાઈ સોરા, સંજયભાઈ હિરાણી,  શરદભાઈ તલસાણીયા, ભાવેશભાઈ દેરીયા શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા.

જયારે વરિષ્ઠ અધિકારીઓમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુ. કમિશનર  બંછાનીધી પાની, શિક્ષણવિભાગના નાયબ સચિવ  બી. પી. ચૌહાણ,  નાયબ વનસંરક્ષક  મુકેશકુમાર પરમાર, પ્રયાશના મેનેજીંગ ડીરેક્ટર  જેનું દેવન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ  જે. જે. ખડિયા હાજર રહ્યાં હતા.

બે દિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા મ્યુનિ. કમિશ્ર્નર બંછાનિધિ પાનીઅને નગર પ્રામિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, શાશનાધિકારી ડી.પી.પંડ્યા, સમિતિના સર્વે સભ્યો, કેળવણી નિરીક્ષકો સી.આર.સીઓ, કો-ઓર્ડીનેટરો, શાળાઓના આચાર્યો, શિક્ષકો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.