Abtak Media Google News

સ્વામી રાજર્ષિ મુનિજી દ્વારા પ્રેરિત અમદાવાદ, છારોડી ખાતે આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટી દ્વારા મંજુરી થયેલ યોગ સેન્ટર બીલ્ખા પ્લાઝા ફલેટસ ખાતે ચાલે છે. તેનું ગત સત્ર પૂર્ણ થતા સર્ટીફીકેટ કોર્ષ ઈન યોગના નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સીસીઆઈવાયનો ઉપરોકત કોર્ષ કરવા માટે અભ્યાસ ઓછામાં ઓછો ધો.૧૦ પાસ હોવું જરૂરી છે. જેમાં દર રવિવારે સવારના ૭ થી ૯:૩૦ સુધીનો યોગ વર્ગ રહેશે.

જે આશરે ૫ મહિના જેટલો સમય રહેશે તથા આ ઉપરોકત વર્ગમાં વિદ્યાર્થીઓને યોગ, આસનો, અષ્ટાંગ યોગના દરેક અંગોની થીયરી, પ્રાણાયામ વગેરે યોગ વિષયમાં ઉચ્ચ પ્રશિક્ષિત એવા પ્રશિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયેથી લકુલીશ યોગ યુનિવર્સિટી દ્વારા તમામ વિષયોની લેખિત તથા પ્રાયોગીક ધોરણે પરીક્ષા લેવામાં આવશે. તેમાં ઉર્તિણ થયેથી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

ઉપરોકત સી.સી.આઈ.વાય.ના કોર્ષમાં પ્રવેશ માટે તથા અભ્યાસ માટે બીલ્ખા પ્લાઝા ફલેટસ ફલેટ નં.૪/એ/બી, ચોથો માળ, મોહનભાઈ હોલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવો તથા વિશેષ જાણકારી માટે મો.નં.૭૮૭૪૦ ૨૫૭૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.