Abtak Media Google News

વર્ષ-2019 દરમિયાન કૈલાસ માન સરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે ભારત સરકારની વેબસાઇટ https://kmy.gov.in પર ઓનલાઇન અરજીઓ સ્વીકરવાનું શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મુજબ, આ યાત્રા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ નિયત કરવામાં આવી છે.

આ યાત્રા જુદા જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જેમાં લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ 8 જૂન 2019ના રોજ અને 18મી એટલે કે છેલ્લી બેચ 15 ઓગસ્ટના રોજ ઉપડશે. આ રૂટ માટે કુલ 24 દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,8૦,૦૦૦નો ખર્ચ થાય છે.

જ્યારે બીજા રૂટની વાત કરીએ તો વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ 11 જૂનના રોજ અને છેલ્લી એટલે કે 10મી બેચ 3 ઓગસ્ટના રોજ ઉપડશે. આ પ્રવાસ માટે કુલ 21 દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,5૦,૦૦૦નો ખર્ચ થાય છે.

આ યાત્રા માટે થનાર ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબસાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે. આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.