Abtak Media Google News

પ્રધાનમંત્રી શ્રમ યોગી મન ધન યોજના અંતર્ગત શ્રમીકવર્ગોને પણ પેન્શન મળશે

આ યોજનાની જાહેરાત ઇન્દ્રીમ બજેટમાં કરવામાં આવી હતી અને તેનું લક્ષ્ય અવિભાગીય વિસ્તારના શ્રમીકો કે જેની માસીક આવક રૂ ૧૫૦૦૦ સુધીની હોય તેનો માટે કરવામાં આવીસીએસસી ઇ-ગર્વનન્સ સર્વિસીઝ ઇન્ડીયા લીમીટેડ, સરકારના વિશેષ હેતુ, વાહન, ફલેગશીપ પ્રોગ્રામમાં અસમર્થિત ક્ષેત્રને આવરી લેતા પીએમ-એસવાયએમ માટે નોંધણી પ્રક્રિયા શરુ કરી છે.આ યોજના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નોડલ એજન્સી હશે જે ૪૦ વર્ષ સુધીની સસંગઠ્ઠીત ક્ષેત્રના કર્મચરીઓને રૂ ૩૦૦૦ નું લધુતમ માસિક પેન્શન મળવા પાત્ર છે જેમાં ૬૦ વર્ષથી વધુની વયના શ્રમીકોનો સમાવેશ થાય છે જે સત્તાવાર નીવેદનમાં જણાવવામાં આવ્યું છે.

સીએસસી. નું સમગ્ર ભારતમાં  ૩.૧૩ લાખનું નેટવર્ક છે આમાંથી ૨.૧૩ લાખ ગ્રામ પંચાયત સ્તરે કાર્યરત છે જેમાં જરુરીયાત વાળા શ્રમીકોને આ યોજનાનો લાભ મળે તેવી જોગવાઇ કરવામાં આવી છે. જેમાંથી ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને આ યોજનાનો લાભ મળે તેવી જોગવાઇ યુનિયન લેબ મીનીસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ પ્રમાણે આ એક મહાત્વાકાંક્ષી સામાજીક સલામતિ યોજના છે જે બી.એમ. સી.એમ.એમ. કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાની જાહેરાત ઇન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.

આ યોજના માટે કામદારોએ તેમના નજીકના સી.આર.સી.ની મુલાકાત લઇ આધાર કાર્ડ, બેંક ખાતા પાસબુક, તેમજ જન-ધન ખાતાની વિગતો સાથે  રજીસ્ટર કરાવવું પડશે. પ્રથમ મહીના માટે રકમ રોકડમાં ચુકવવામાં આવશે જેના માટે તેની રસીદ આપવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા અને રજીસ્ટ્રેશન તેમજ કલેકશનની પ્રક્રિયા સરળ કરવામાં આવે તેવું નકકી કરવામાં આવ્યું છે.

સીએસસી લાભાર્થીઓને એકત્ર કરશે અને તેની નોંધણી કરશે તેમજ આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને એક યુનીટ આઇડી નંબર ધરાવતું કાર્ડ પણ આપવામાં આવશે.આ ઉપરાંત આ યોજના વેલ-પોર્ટલ દ્વારા પણ લોકોની નોંધણી કરાવવાનું વિચારી રહ્યું છે. જેથી લાભાર્થી જાતે પણ મોબાઇલ એપ્લીકેશન તેમજ વેબસાઇટના માઘ્યમથી નોંધવી કરાવી શકે અને માહીતી સાથે અપડેટ રહી શકે.

૪૦ વર્ષથી યોજનામાં જોડાતા કામદારોને રૂ ૨૦૦ જયારે ૨૯ વર્ષની ઉમંરે કામદારોને રૂ ૧૦૦ આ ઉપરાંત અસમર્થ કર્મચરીઓને ઘર આધારીત વિક્રેતાઓ, મઘ્યાન ભોજનના કામદારો, ઇંટ ભઠ્ઠાવાળા કર્મચારીઓ ધરેલું કામદારો રીક્ષા ચલાવનારાઓ, મજુરો, કૃષિ કામદારો અને બાંધકામના કામદારોને આ યોજનાનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.આ ઉ૫રાંત અનૌપચારીક કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સ્કીમ, એમ્પ્લોયી સ્ટેટ કોર્પો. સ્કીમ અથવા એમ્પ્લોયીઝ પ્રોવીડન્ટ ફંડ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.આમ આ યોજના સામાજીક ક્ષેત્રે ખુબ અસરકર્તા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.