Abtak Media Google News

આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તેઓ ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ મંદિર ખાતે ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક અને પૂજા કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સ્મારકના દર્શન કરી મુલાકાત લીધી હતી. મંદિર ખાતે યોજાયેલ યજ્ઞમાં પણ હાજરી આપી હતી. યજ્ઞની પૂર્ણાહૂતિ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકરજી મહારાજે આજે ગોંડલ પધારતા હોય તેમના અનુયાયી સદસ્યો દ્વારા ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી.

શ્રી શ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં આજે સાંજે 5.30 વાગ્યે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મહારૂદ્ર પૂજા તથા સત્સંગ યોજાશે. તા. 7ના દિવાળી પર્વ પર સાંજે 5.30 વાગ્યે રાજકોટમાં અષ્ટલઘુમી હોમ, દિવાળી પૂજન તથા મહાસત્સંગના કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 8 અને 9ના વાસદ આશ્રમમાં નૂતન વર્ષની ઉજવણી અંતર્ગત અન્નકૂટ ઉત્સવ સહિત દેવી પૂજા અને મહાસત્સંગ પણ યોજાશે. તો જામનગરના આર્ટ ઓફ લિવિંગના વિવિધ સેન્ટરોના સાધકો તથા સ્થાનિકો માટે શ્રી શ્રી રવિશંકરના સોમનાથ તથા રાજકોટના કાર્યક્રમોમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.