Abtak Media Google News

ભામાશા ઉકાભાઈ સોલંકીનું મરણોતર સેવા રત્ન સન્માન જયારે ડો. પિયુષ બોરખતરીયાનું વિશેષ સન્માન કરાશે

ઉપલેટા આહિર સમાજ દ્વારા કાલે કોલકી રોડ ઉપર એપલ ગ્રીન પાર્ટી પ્લોટમા સાંજે ૪.૩૦ કલાકે ગુજરાતના ખ્યાત નામ વકતાનું વકતવ્ય અને આહિર સમાજના ભામાશાનું મરણોતરા સન્માન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે.

શહેરના તમામ સમાજનાં વિદ્યાર્થીભાઈ બહેનો માટે આહિર સમાજ દ્વારા ગુજરાતનાં ખ્યાતનામ વકતા અને કટાર લેખક તથા કોલમિસ્ટ જય વસાવડાનું કોશીશ થી કામયાબી સુધી વકતવ્યનું ભવ્ય આયોજન વિનામૂલ્ય કરવામાં આવેલ છે. સાથે સાથે આહિર સમાજના ભામાશા અને છેલ્લા ૧૯ વર્ષથી સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓને દર વર્ષ વિનામૂલ્યે જટીલ ઓપરેશનો સારવાર જેના પ્રયાસોથી મળે છે તેવા સ્વ. ઉકાભાઈ સોલંકીનું આ કાર્યક્રમમાં મરણોતર સેવારત્ન સન્માન કરવામાં આવશે.

તેમજ સૌરાષ્ટ્રના બેસ્ય ડર્મટોલોજીસ્ટ અને ટ્રીઓલોજીસ્ટ જૂનાગઢના કાયાકલ્પવાળા ડો. પિયુષભાઈ બોરખતરીયાનું સન્માન કરવામા આવશે તો આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા લોકોને ખાખીજાળીયા રોડ એપલગ્રીન પાર્ટી પ્લોટમાં કાલે તા.૨ ને ગૂરૂવારે સાંજે ૪.૩૦ કલાકે સમયસર પહોચી જવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં બહેનો માટે બેસવાની અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.