Abtak Media Google News

મુંબઈ સ્થિત દંપતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા બે માસુમ સંતાનો એ માતા પિતાની છત્રછાયા ગુમાવી

બોટાદ જિલ્લાના ઢસા તાલુકાના મોટા ઉમરડા ગામે રહેતા મામાના ઘરે મુંબઈથી સહ પરિવાર સાથે આવેલા યુવાન દંપતિએ આજે બુધવારે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઢસા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી કરી દંપતિના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુળ બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના વતની હાલ મુંબઈ રહેતા અને કેન્દ્રીય કપાસ રિસર્ચ લેબોરેટરીમાં ફરજ બજાવતા મોહનભાઈ માવજીભાઈ કતપરા ઉ.૫૪ અને તેનો પરિવાર મોટા ઉમરડા ગામેરહેતા સવજી લાલજીભાઈ ચાવડાના ઘરે વેકેશનમાં ફરવા આવ્યા હતા. દરમ્યાન આજે બુધવારે વહેલી સવારે મોહનભાઈના યુવાન પુત્ર હિતેશ કતપરા ઉ.૩૦ અને તેની પત્ની અનિતા હિતેશ કતપરા ઉ.૨૮ એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધોહતો. બનાવની જાણ થતા ઢસા પોલીસ મથકના એએસઆઈઆર.આર. ખેર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસની તપાસમાંમૃતક હિતેશના ગુંદા ગામે રહેતા સાળો માનસીક બિમાર રહેતો હોય. તેની ચિંતામાં હિતેશ અને તેના પત્નિએ આજે સવારે આ પગલુ ભરી લીધું હતુ મૃતક દંપતિને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર અને અઢી વર્ષની પુત્રી હોવાનું જાણવા મળે છે.

વધુમાં મૃતક હિતેશના મામા સવજીભાઈના પુત્ર અને પુત્ર વધુનું દોઢેક વર્ષ પહેલા જ માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હતુ જેના આઘાતમાં સવજીભાઈના પત્નિનું એક વર્ષ પહેલા મોત નિપજયું હતુ ત્યારે વેકેશનમાં ફરવા આવેલ ભાણેજ અને તેની પત્નીએ ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.