Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, શાખા-તરવડા ગુરુકુલને આંગણે શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક, રક્તદાન કેમ્પ, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સેવારથ અર્પણ વિધિ જેવા અનેક કાર્યક્રમો ધામ-ધામથી પધારેલ સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ટીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર થઇ રહ્યો છે.

3D6A1081

વક્તા પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા પુરાણી  કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના સુમધુર કંઠે સંગીત સાથે સુંદર કથા પ્રસંગો દ્વારા દિવ્ય વાતાવરણની શ્રોતાઓને અનુભૂતિ કરાવે છે.

એફકેઝેડ

આ દિવ્ય કથા પ્રસંગે રાજકોટ થી પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ પધારી યજમાનશ્રી અને શ્રોતાઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. તા. ૯-૧૧-૧૯ને શનિવારે કથાની પૂર્ણાહુતિ થશે. દરરોજ કથા શ્રવણ કરવા આવતા ભક્તો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે.

“મહા વાવજોડા” ના સંકટને નિવારવા માટે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ખાસ પ્રાર્થના કરાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.