Abtak Media Google News

અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ભોયરામાં લાગેલા ઈલેક્ટ્રિક મીટરમાં આગ લાગી હોવાની શક્યતા છે. ફાયર વિભાગને જાણ કરાતા 3 ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. આગના મોટા ધુમાડા ઉડી રહ્યાં છે.

હિમાલયા મોલ પાસે આગ લાગવાથી લોકોમાં દોડભાગ મચી હતી. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. સાથે જ શ્રીજી ટાવર પાસે મેટ્રોનું કામ પણ ચાલુ છે. ટાવરમાં આવેલી દુકાનોમાંથી લોકો બહાર આવી ગયા હતા. આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિ કોઈ સમાચાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.