Abtak Media Google News

શીરડી વાલે સાંઈબાબા આયા હૈ તેરે ઘર પે સવાલી !!!

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ અને શીરડીવાસીઓની માંગ સ્વીકારી લેતા અનિશ્ર્ચિત બંધનું એલાન પરત ખેંચાયું

ભારત સહિત વિશ્ર્વભરનાં કરોડો શ્રદ્ધાળુઓનાં આસ્થાનું પ્રતિક એવા શીરડીના સાંઈબાબાના જન્મસ્થળ, ધર્મ વગેરે બાબતો અંગે અનેક મતમંતાતરો છે. સાંઈબાબાએ તેમના જીવનકાળ દરમ્યાન કદી પોતાના ધર્મ, જન્મસ્થળ, પૂર્વાશ્રમ અંગેની વિગતો જાહેર કરી નથી ત્યારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં સાંઈબાબાનું મરાઠીકરણ ગણાવીને તેના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી જેનાં વિરોધમાં સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ અને શીરડીના ગ્રામ્યજનોએ સજ્જડ બંધ પાળ્યો હતો જેથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંઈબાબા અંગે પોતે ઉભા કરેલા વિવાદને લઈ શીશ ઝુકાવીને શીરડીવાસીઓની તમામ માંગો સ્વિકારવાની જાહેરાત કરી છે.

શિરડી સાંઈબાબાનાં જન્મસ્થળને કારણે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે આખરે અંત આવ્યો હતો. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યનાં પાથરી ગામને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવતા વિવાદ સર્જાયો હતો. આ પછી શિરડીનાં રહીશો તેમજ શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મામલે સખત નારાજગી દર્શાવવામાં આવી હતી અને શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે સીએમ સાથે વાતચીત થયા પછી આખા વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

7537D2F3 9

સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટનાં પ્રતિનિધિમંડળનાં સભ્ય અને શિવસેનાનાં નેતા કમલાકર કોઠેએ જણાવ્યું હતું કે, સીએમ ઉદ્ધવ ઠાકરે  દ્વારા તમામ માગણીઓ સ્વીકારવામાં આવ્યા પછી આખું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. કોઠેએ કહ્યું કે, સીએમ ઠાકરેએ જે કહ્યું તેનાંથી શિરડીનાં લોકોને સંતોષ થયો છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે હવે નવો કોઈ વિવાદ જાગશે નહીં. આ મુદ્દે વાતચીત કરવા સીએમ ઠાકરેએ સોમવારે બેઠક બોલાવી હતી જેમાં સીએમ ઠાકરે, બાલાસાહેબ થોરાટ, અજિત પવાર, આદિત્ય ઠાકરે અને શ્રી સાંઈબાબા સંસ્થાનનાં ટ્રસ્ટનાં સીઈઓ અને ડીએમ મુગલીકર હાજર રહ્યા હતા.

ભૂતકાળમાં ક્યારેય સાંઈબાબાનાં જન્મસ્થળ અંગે આવો વિવાદ જાગ્યો ન હતો. સીએમ ઠાકરેએ પાથરીને તેમનું જન્મસ્થળ ગણાવતા શિરડીવાસીઓએ રવિવારે શિરડી બંધનું અભૂતપૂર્વ એલાન આપ્યું હતું. જો સીએમ તેમનું નિવેદન પાછું ન ખેંચે તો અનિશ્ચિત મુદત માટે શિરડીબંધની જાહેરાત થવાની હતી. રવિવારે શિરડીમાં મુખ્ય સમાધી મંદિર સિવાય બજારો, દુકાનો અને અન્ય સંસ્થાઓ સજ્જડ બંધ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.