ભાયાવદરના સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે શાકોત્સવ યોજાયો હતો. સંસ્થાના મહંત પ.પૂ.રામાનુજદાસજી સ્વામિની ખાસ ઉપસ્થિતિ તથા રાજકોટ ગુરૂકુલના ૨૦ સંતોની પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહી હતી. વિશ્વજીવન સ્વામી તથા હરિપ્રિય સ્વામીએ સભા સંચાલન કર્યું હતું તથા નારાયણ સ્વામિ ચૈતન્ય સ્વામિએ કથા વાર્તા કરી હતી અને શાકોત્સવનો મહિમા વર્ણવતા હરિપ્રિય સ્વામીએ શ્રીજી મહારાજના ગુણ ગાન ગાયા હતા તથા ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ જેમાં પ્રેરણાદાયક રૂપકો, સમુહ નૃત્ય, સ્પીચ, કવાલી વગેરે રજુ થયું હતું. આજના પ્રસંગે ઉપલેટા તાલુકાના ૩૫ ગામના હરિભકતોએ તથા બહારથી પધારેલા અતિથિ વિશેષ મળીને ૪૫૦૦ ભકતોએ દિવ્ય સત્સંગ તથા શાકોત્સવની પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ સ્વામી, સંત વલ્લભ સ્વામી, નારાયણ સ્વામી, રામાનુજદાસ સ્વામી, હરિપ્રિયદાસ સ્વામી તથા પૂર્ણ પ્રકાશદાસ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી