Abtak Media Google News

સતત ૧૯માં વર્ષે દશનામ ગોસ્વામી ગ્રુપ દ્વારા કાલે એક દિવસીય રાસોત્સવનું આયોજન: આયોજકો અબતકને આંગણે

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ રાજકોટ દ્વારા આગામી તા.૧૧.૧૦.૧૯ના સાંજના ૬ કલાકથી વિશાલ ફલક પર જાજરમાન રીતે શરદોત્સવ ૨૦૧૯ બાલભવન ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે ભવ્ય સમીયાણા સ્ટેજ, ઝાકમઝાળ રોશની અને મધુર ઓકેસ્ટ્રા ના તાલે ઉજવાશે આ તકે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

પાછલા સતત ૧૯ વર્ષોથી અપ્રતિમ સફળતાને વરેલ અને દશનામ ગોસ્વામી સમાજનાં યુવાધન જેની આતુરતાપૂર્વકરાહ જોતા હોય છે. એ શરદોત્સવ રાસગરબામાં અંદાજે ૨૦૦૦ જેટલા દશનામ ગોસ્વામી સમાજનો ખેલૈયાઓ અને પરિવારઆ શરદોત્સવ ૨૦૧૯માં જોડાશે અને અનેકો ઈનામોની વણઝાર વચ્ચે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. પરિવાર સાથે રાસની રમઝટ બોલાવશે.શરદોત્સવ ૨૦૧૯નું ઉદઘાટન જાણીતા ઉદ્યોગપતિ રાજેશપુરી આનંદપુરી ગોસ્વામી આરએમસીના એકઝીએન્જીનીયર વાય.કે. ગોસ્વામી કસ્ટમ સુપ્રિટેન્ડેટ રમેશગીરી ધીરજગીરી તથા સામાજીક અગ્રણી પ્રવિણપુરી યશવંતપુરી તથા કેળવણીકાર નિમિષાબેન અપારનાથના હસ્તે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.