Abtak Media Google News

અલગ અલગ વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે ધૂમ્યા

નવરાત્રી પૂર્ણ થયાબાદ ગુજરાતી વર્ષની સૌથી મોટી પૂનમ શરદ પૂનમ નિમિતે શ્રીજી ગૌશાળા ખાતે શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ કાર્યક્રમમાં શહેરભરથી ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષા સાથે ગરબે ઝુમ્યા હતા.

Vlcsnap 2019 10 14 07H25M36S530

શ્રીજી ગૌશાળામાં હાલ ૧૮૫૦થી વધુ ગાયો અને તેમાં ૪૫૦ જેટલી ગીર ગાય ઠાઠથી રહે છે. જાહેર નિમંત્રણને માન આપી લોકો બહોળી સંખ્યામાં રાસોત્સવમાં પધાર્યા હતા. ગૌપુજન બાદ ખેલૈયાઓ મન ભરીને ઝૂમ્યા હતા. ત્યારબાદ શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભૂષા ધારણ કરનાર ખેલૈયાઓ પર ઈનામોની વણઝાર કરવામાં આવી હતી.

Vlcsnap 2019 10 14 07H25M20S765

પ્રભુદાસ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે શ્રીજી ગૌશાળા ગાયમાતાની સેવા અને રક્ષણ કરે છે. ગૌશાળામાં ૧૮૬૫ ગૌમાતા ને સાચવવામાં આવે છે. આ ગૌશાળામાં અમે એક ગૌતિર્થ જેવું વાતાવરણ ઉભુ કર્યું છે. જેથીલોકો આવે તેને આવવું પસંદ પડે. ગાય માતાના ગૌમુત્રમાંથી અનેક વિધ દવાઓ બનાવવામાં આવે છે. સંસ્થા દ્વારા જે સામાજીક કાર્ય કરવામાં આવે છે.તેનાથી સાત લાખ પાસાઠ હજાર દર્દીઓની સેવા કરવામાં આવી હતી. ઘરવપરાશની ૬૩ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ. હાલ ગૌશાળામાં ૪૦૦ જેટલી ગીરગાયો છે. ગૌ સવર્ધન પણ કરવામાં આવે છે. અહી શ્રીજી ગૌશાળાની પરંપરા પ્રમાણે દરેક તહેવારો ગાયમાતાની સાનિધ્યમાં ઉજવવા શરદોત્સવ એક એવો પવિત્ર ઉત્સવ છે.

Vlcsnap 2019 10 14 07H26M23S111

શરદઋતુએ તંદુરસ્તીનું પ્રતિક છે. આ ઋતુમાં મનુષ્ય જયારે ગાયમાતાના સાનિધ્યમાં આરાતવિતાવે એટલે આખુ વર્ષ રોગવગર પસાર કરે અને એમાં પણ રાસોત્સવ એટલે વાત જવા દયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.