Abtak Media Google News

માસા-માસીએ બોર્ડરથી વચેટીયાઓને વેંચી નાખી ભારતમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધાનો ઘટ્ટસ્ફોટ

ગંભીર પ્રકરણમાં બાંગ્લાદેશની સરકારને જાણ કરાશે: ટીમ બનાવી જુનાગઢ, અમદાવાદ, મુંબઇ અને કલકત્તા સુધી તપાસ કરાશ

બાંગ્લાદેશીસગીરાને માંગરોળમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનાર મહિલા દલાલ,અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતા. સગીરા સો દુષ્કર્મ કરનાર ૬ શકમંદ શખ્સોને પણ પોલીસે ડિટેઇન કરી પુછપરછ હા ધરી છે.સગીરાને બાંગ્લાદેશી ભારત,ત્યાંી મુંબઇ અને અમદાવાદ સુધી લાવનાર શખ્સોને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી આગળની કવાયત હા ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના બસ સ્ટેન્ડી મળી આવેલી સગીરાને માંગરોળ પોલીસે પ્રમ જૂનાગઢ શીશુમંગલ સંસમાં મોકલી આપી હતી. શીશુમંગલના સ્ટાફે દુભાષીયાની મદદી સગીરાની પુછપરછ કરતા સગીરા મુળ બાંગ્લાદેશની હોવાનું અને માંગરોળની મહિલા વર્ષા નિતિન લોહાણા દેહ વ્યાપારનો ગોરખધંધો કરાવતી હોવાનું અને માંગરોળના ૬ શખ્સે તેના પર દુષ્કર્મ યાનું જણાવ્યું હતુ.સમગ્ર ઘટનાની જાણ તા માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને લઇ એસપી નિલેશ જાજડીયાએ તપાસ તુરંત એલસીબી પીઆઇ એન.કે વ્યાસને સોપી હતી.એલસીબી,એસઓજીપીઆઇ ડી.બી.બારડ,મહિલા પીએસઆઇ કે.એ.જાડેજા,માંગરોળ પીએસઆઇ જે.આર.કરોતરા વગેરેએ અલગ અલગ ટીમ બનાવી દલાલ વર્ષા નિતિન લોહાણા,અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા.આ ઉપરાંત દુષ્કર્મ કરનાર ૬ શકમંદોને ડિટેઇન કરી પુછપરછ હા ધરી છે.ગોરખધંધામાંસંકળાયેલા તમામ લોકો સગીરાને દેહ વ્યાપાર માટે મોકલતા અને તમામનું કામદીઠ અમુક ટકા લેખે કમિશન બાંધેલુ હતુ.માંગરોળનીચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા એલસીબી,એસઓજી,માંગરોળ પોલીસે દિવસ રાત એક કરી છે. અલગ અલગ ટીમ સતત બેી ત્રણ દિવસ સુધી તપાસ ચલાવી રહી છે.

માંગરોળતા રાજ્યના અન્ય જિલ્લામાં ૨૪ી વધુ બાંગ્લાદેશી સગીરા ગોરખધંધામાં ફસાઇ હોવાની પણ પોલીસને દ્રઢ શંકા છે. પોલીસ ઘટનામાં તમામ સ્ળે પહોંચવા માંગી રહી છે.જેપણ લોકો સગીરાને બાંગ્લાદેશી ઘરકામ અવા અન્ય કોઇ બહાનાી ભારતમાં લાવવામાં આવી હોય અને સગીરાને આવા ગોરખધંધામાં ધકેલાવાના હોવાની જાણ હોવાનું પ્રામિક તપાસમાં જાણવા મળ્યું છે. સગીરાને અંધારામાં રાખી ભારતમાં લાવવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.સગીરાપર કેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે,તેની સો બળજબરી કરી છે કે કેમ વગેરે અંગે માહિતી મેળવવા સગીરાના કપડા,દુષ્કર્મની જગ્યા પરી મળી આવેલી શંકાસ્પદ ચીજને એફએસએલમાં મોકલી અપાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદનો ઝડપાયેલો શખ્સ શ્રીકાંત ઉર્ફ રાજુ સમગ્ર રાજ્યવ્યાપી દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળેલ છે. આ શખ્સ દ્વારા રાજ્યના અન્ય જુદા-જુદા વિસ્તારોમાં પણ આવી રીતે ક્યાં-ક્યાં યુવતીઓ ધકેલી છે? કેટલી યુવતીઓને બળજબરીથી દેહવ્યાપારના ધંધામાં ધકેલી છે? એ દિશામાં તપાસનો ધમધમાટ કર્યો છે. તેમજ આ કિસ્સામાં પોલીસ દ્વારા દિશામાં તપાસ આદરી છે. સગીરાને બાંગ્લાદેશથી ગુજરાતમાં પહોંચાડવામાં કોણ-કોણ સંડોવાયેલું છે? કઇ કઇ જગ્યાએ તેણીને રાખવામાં આવી હતી? વગેરે દિશામાં તપાસ હાથ ધરી છે. જુદી જુદી ચાર ટીમો દ્વારા માંગરોળ, જુનાગઢ, અમદાવાદ, મુંબઇ અને કલકતા સુધી તપાસ આદરી છે અને આ ગંભીર પ્રકરણમાં બાંગ્લાદેશથી વેંચી નખાયેલી અને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી આ સગીરાને ગંભીર પ્રકરણમાં જુનાગઢ પોલીસદ્વારા બાંગ્લાદેશની સરકારને પણ જાણ કરવામાં આવશે.

તેમજ સગીરાને વેંચી નાખનાર તેણીના માસા-માસી તેમજ વચેટીયા વગેરે શખ્સોની તપાસ તથા આ સગીરાને પરત તેણીના ઘર સુધી પહોંચાડવામાં અને પ્રકરણની તપાસ માટે બાંગ્લાદેશ સરકારને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.