Abtak Media Google News

બોલીવુડ ના ’હૈદર’ સાથે ગંભીર મજાક:

અભિનેતા એ ખુલાસો કરવો પડ્યો કે હું ભલોચંગો છું, મારા નખ માં પણ રોગ નથી

શાહિદ કપૂર સાથે એક ગંભીર મજાક થઈ ગઈ છે. કોઈ એ સોશિયલ મીડિયા પર શાહિદ ને સ્ટમક કેન્સર જેવી ગંભીર બીમારી હોવા ના સમાચાર વહેતા કર્યા છે. હવે શાહિદ એ સમયસર ખુલાસો કરી દીધો છે કે હું એક્દમ ભલો ચંગો છુ.

શાહીદ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મેસેજ આપ્યો છે કે હું એક્દમ ઠીક છું. મને નખ માં પણ રોગ નથી. સો ડોંટ વરી.નોંધનીય છે કે આ ઉડતા પંજાબ સ્ટાર ના અસંખ્ય ચાહકો છે. તેને ઈન્સ્ટગ્રામ પર લખો લોકો ફોલો કરે છે.

સ્વાભાવિક છે કે આ માઠા સમાચાર મળ્યા ત્યારે બધા આઘાત  પામ્યા હતા. હવે બધા નાં જીવ હેઠા બેઠા. શાહિદે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા નો દૂર ઉપયોગ ન કરવો.  અગાઉ પણ લતા મંગેશકર માટે આવી મજાક થઈ ગઈ હતી.તેમને સ્વર્ગ વાસી બનાવી દેવાયા હતા. એટલું જ નહીં તેમના લગ્ન પણ કરાવી દેવાયા હતા.

જો કે બોલીવુડ નો હીરો ઈરફાન ખાન સાચે જ કેન્સર સામે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે હું હમણાં ભારત આવી શકું તેમ નથી.વિદેશ માં તેમનો ઈલાજ ચાલે છે. સોનાલી બેન્દ્રે તાજેતર માં જ કેન્સર નો ઇલાજ કરાવીને ભારત આવી છે.

મનીષા કોઇરાલા પણ આ દુખ જોઈ ચૂકી છે. ખરેખર આ દૌર ખૂબ જદર્દ નાક હોય છે. અરે એક બાત મેં કહેના તોભૂલ હી ગયા. શાહિદ કપૂર એ ઉડતા પંજાબ, હૈદર, જબ વી મેટ, કમીને  જેવી હિટ ફિલ્મો આપી છે. તેનિયમિત જિમ માં જાય છે અને હજુ હમણાં જ એક પુત્ર નો પિતા બન્યો છે. તે અર્જુન રેડ્ડી નામ ની ફિલ્મ ના શૂટિંગ મા વ્યસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.