Abtak Media Google News

અમદાવાદ આઈ.આઈ.એમ. ખાતે ઇન્ટરનેશનલ પીસ રિચર્ચ એસોસિએશન દ્વારા ઇન્ટરનેશનલ પીસ કોન્ફરન્સનું આયોજન યું હતું. જેમાં વિશ્ર્વના ૫૮ દેશોમાંથી’ ૧૫૦ી વધારે શાંતિ સંશોધકો અને શાંતિ નિષ્ણાંતો પધાર્યા હતા.

આ ઈન્ટરન્ોશનલ પીસ રિચર્ચ એસોસિએશન ઈ.સ. ૧૯૬૪ થી દૃુનિયાભરમાં કાર્યરત છે. દર વર્ષે દૃુનિયાના વિવિધ દેશોમાં યોજાતી પીસ કોન્ફરન્સ આ વખતે અમદૃાવાદૃ ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે વિશ્ર્વભરમાં પારંપરિક મૂલ્યોનું જતન, શિક્ષણ ક્ષેત્રે અજોડ કાર્ય અને વિવિધ સંસ્કૃતિઓમાં પારસ્પરિક સુદભાવ કેળવવા બદલ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને કાર્યરત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ – એસજીવીપી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મેનેજમેંટ એસોસિએશન, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીને ‘ક્રિએટર ઓફ પીસ એમ્બેસેડર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સંસ્થાના સેક્રેટરી ડૉ. કાત્સુયા કેદામા, ફાઉન્ડર ડો. મુકુંદૃભાઇ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. એસજીવીપીને પ્રાપ્ત આ એવોર્ડ પૂજ્ય સ્વામીજી વતી સાધુ ભક્તિવેદાંતદાસજીએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ખાસ જાપાની પધારેલ ડેલિગેસનના સભ્યોએ એસજીવીપીની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.