Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનું કેન્દ્ર બિન્દુબની રહ્યો છે. ન્યુ યરની શરૂઆતમાં જ રાજ્યમાં ભૂકંપના 7 આચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 6 આચકા અનુભવાયા છે.

સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપની ભૂલ્યા નથી. વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાનું બહાર આવ્યુ છે.

(ISR)મુજબ ભૂકંપના આંકડા

સ્થળ તીવ્રતા સમય
સુરેન્દ્રનગર 1.8 09.55 AM
બોટાદ 2 11.46 AM
સુરેન્દ્રનગર 1.8 12.10 PM
સુરેન્દ્રનગર 1.8 12.25 PM
સુરેન્દ્રનગર 1.5 01.00 PM
સુરેન્દ્રનગર 1.6 01.05 PM
સુરેન્દ્રનગર 1.4 01.29 PM


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.