Abtak Media Google News

૧૫૬૭ ચેક રિટર્નના કેસનો નિકાલ: ૯૧૭૨કેસમાંથી ૩૫૯૬માં સમાધાન થયું

રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં વિવિધ પ્રકારના ૯૧૭૨ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશન મળી ૩૫૯૬ કેસોનો સમાધાન કારી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ અકસ્માત વળતરમાં રૂ.૬.૫૯ કરોડ જેટલી રકમનું વળતર ચુકવવામાં આવ્યું છે.

વધુમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ ન્યુ દિલ્હીના આદેશથી સમગ્ર રાષ્ટ્રમાં કરવાના ભાગરૂપે રાજય કાનુની સેવા સતા મંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લા કાનુની સેવા સતા મંડળ અને ડિસ્ટરીકટ એન્ડ સેશન્સ જજ કુ.ગીતાગોપી મેડમના માર્ગદર્શન હેઠળ તા.૮ને શનિવારના રોજ યોજાયેલી લોક અદાલતને જજ ગીતા ગોપીએ દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકી હતી. આ તકે એડીશનલ જજ વી.વી.પરમાર અને પી.કે. સતિષકુમાર સહિતના જજીસો તથા બારના પ્રમુખ અનિલભાઈ દેસાઈ અને એમ.એ.સી.પી.ના પ્રમુખ કે.જે.ત્રિવેદી સહિત સિનિયર જુનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.

લોક અદાલતના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગ્રેશન કેસો મળી કુલ ૯૧૭૨ કેસો હાથ પર લેવામાં આવેલ.જેમાંથી મોટર અકસ્માત વળતરના ૧૮૪ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી રૂ.૬.૫૯,૮૦,૬૯૯/- રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીટર્નના ૧૫૬૭ કેસોનો અને લગ્ન વિષયક ૧૬૦ કેસો મળી ૩૫૩૯ પેન્ડીંગ કેસો  તથા ૫૭ પ્રિ-લિટીગેશન કેસો મળી કુલ ૩૫૯૬કેસોનો નિકાલ થયેલો છે.

તેમ જિલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ  એચ. વી. જોટાણીયાની યાદીમાંજણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.