Abtak Media Google News

શનિ અમાસ અને હરિયાળી અમાસનો શુભ સંયોગ હતો

શનિ અમાવસ્યાના અવસરે સેલવાસના બોન્ટાના આવલે શનિદેવ મંદિરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી. અહી વહેલીસવારથી દાદરાનગર હવેલી ઉપરાંત આસપાસના ક્ષેત્રોમાંથી ભકતો ઉમટી પડયા હતા ભકતોએ ભાવથી શનિ મહારાજના દર્શન પૂજન, હવન કરી મહાપ્રસાદનો લાભ લીધો. આ વર્ષે ૧૪ વર્ષ બાદ હરિયાળી અમાસ અને શનિઅમાસનો સંયોગ થયો હતો. આ શનિ અમાસ પર ખગ્રામ સૂર્યગ્રહણ પણ હતુ જો કે, ચંદ્ર ગ્રહણની અસર ભારત પર ન હતી માટે મંદિરો આખો દિવસ ખૂલ્લા હતા. આ વર્ષની છેલ્લી શનિ અમાસ હતી. આશ્ર્લેષા નક્ષત્રમાં શનિઅમાસ અને હરિયાળી અમાસનો શુભ સંયોગ હતો જેથી શિવ ભકત અને શનિભકતોમાં ભારે ઉત્સાહ જણાતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.