Abtak Media Google News

800 કિલો માવો, 500 કિલો શિખંડનો નાશ

રાજકોટમાં આજે વહેલી સવારથી જ મનપાની આરોગ્ય શાખાએ સપાટો બોલાવ્યો હતો. જેમાં કુવાડવા રોડ પર આવેલા કોલ્ડસ્ટોરેજમાં દરોડા પાડ્યા હતા અને આરોગ્યને નુકશાન પહોંચતા અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં રિજેક્ટેડ માખણ જે માત્ર પશુઓને વેચવા નક્કી કરાયું હોય તેનું પેકિગ કરી ગુજરાત બહાર દિલ્હી, પંજાબમાં વેંચવામાં આવતું હોવાનો ચોંકવાનારી વાત બહાર આવી છે. તેમજ શિખંડ અને આઇસ્ક્રિમમાં મચ્છરો અને જીવાતો ચોટેલી જોવા મળી હતી. પશુને આહાર લાયક ચીઝ બનાવી વેચવામાં આવતું હોવાની પણ વિગતો બહાર આવી છે.

2 1520399582નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડના જણાવ્યા પ્રમાણે શહેરના કુવાડવા રોડ પર રવિરાજ રેફ્રિજેશન દિનેશભાઇ વાઢેરનો મુખ્ય ધંધો વિમલ આઇસ્ક્રીમ અને કોમ બોલના આઇસ્ક્રીમની ડીસ્ટ્રીબ્યુટનો છે. સાથે કોલ્ડસ્ટોરેજની જગ્યામાં ખાદ્યસામગ્રી સ્ટોર કરવા માટે ભાડે આપવામાં આવી હતી. જેમાં અલગ અલગ ત્રણ આસામીઓની વિવિધ સામ્રગી મળી આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.