Abtak Media Google News

એસ.જી.વી.પી. ગુરૂકુળમાં રાસની રમઝટ વચ્ચે ઉજવાયો દિવ્ય શરદોત્સવ

શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાંચ હજાર ઉપરાંત ભાવિકોની હાજરીમાં ઠાકોરજીની ચાર આરતિ સાથે શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સાથે ઉજવાયો હતો

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શરદઋતુની રાત્રિઓને “શરદોત્ફુલ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના કન પ્રમાણે ભગવાન કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાને બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું અને આજી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા. અને જેટલા સંતો હતા તેટલા રુપો ભગવાને ધારણ  કરી રાસ લીધો હતો.Img 0615શરદપૂર્ણિમાના પર્વે ભગવાન શ્રી કૃષ્ણે વ્રજસુંદરીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ તો ની.  વિજ્ઞાન આપણને ભોતિક સુખ આપશે પણ મનનું પરિવર્તન તો આવા ઉત્સવના માધ્યમી સંતો જ કરી શકશે.

આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આજે તો અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન છે. ભગવાન જ્યારે પૃ્થ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એકલા પધારતા ની પણ મુક્તો સો પધારે છે. સહજાનંદ સ્વામી સો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.

પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી, ગુજરાત યુનિ.ના કુલપતિ હિમાંશુભાઇ પંડ્યા, ગુજરાત હાઇકોર્ટના જજ આર. ઢોલરિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ  જીતુભાઇ વાઘાણી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે.લાંઘા, માજી કલેક્ટર વી.એસ. ગઢવી, ગાંધીનગર ડીવાય એસપી પીડી પરસાણા, કાંતિભાઇ રામ, ગોપાળભાઇ દવે, ચીમનભાઇ અગ્રવાલ વગેરે મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. સભાનું સંચાલન ભકિતવેદાંત સ્વામી અને ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતુ. સભાને અંંતે ભક્તોએ દૂધપૌઆનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.