Abtak Media Google News

નિધિ સ્કુલમાં ગુજરાત રાજય ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ એસ.આર.પી. ગ્રુપ ૧૩ ઘંટેશ્વર દ્વારા ફલ્ડ, સાયકલોન સામે સાવચેતીનાં પગલા લેવા બાબતે ડેમોતથા સાધન સામગ્રી અંગે જાણકારી આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય ડીઝાસ્ટર મેનેજમેન્ખટનાં ડે. ડાયરેકટર પિયુષ રામટેક, રાજકોટના હેડ ડીપીઓ પ્રિયાંકસિંઘ તેમજ એસ.આર.પી. ગ્રુપ ૧૩ના પીએસઆઈ રાજદીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તેમજ માહિતી આપી હતી.

તેમજ અતિવૃષ્ટિ, આગ, ભૂકંપમાં ઉપયોગમાં લેવાતા સાધનો તેમજ તેનો ઉપયોગ કેમ કરવો તેનું નિદર્શન કરેલ હતુ. સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અદીતી ભટ્ટ, હર્ષદ રાઠોડે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને દેખરેખ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.