Abtak Media Google News

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલા સ્નેહમિલનમાં ઉદબોધન કરતાં અભિનેતા અને પદ્મશ્રી મનોજભાઇ જોશી

સમસ્ત પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં પદ્મ મનોજભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા મનોજભાઇએ જણાવ્યુ હતું કે ભાજપ સરકાર દેશહિતને કેન્દ્રમાં રાખીને વિકાસ તરફ ગતિ કરી રહી છે.  આ યાત્રા અવિરત ચાલતી રહેશે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રધાનસેવક અને દેશહિતના કાર્યોમાં માને છે.તેમનો એક માત્ર ધ્યેય દેશ અને દેશના નાગરિકોનો વિકાસ છે.Prajapati Samaj 1

આ ઉપરાંત કમલેશભાઈ મીરાણીએ પણ સભાને સંબોધતા કમળનું બટન દબાવીને રાજકોટ લોકસભાના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને તેમજ કેન્દ્રમાં ફીર એક બાર મોદી સરકાર રચાય  તેવી લોકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અભિનેતા અને પદ્મ મનોજભાઇ જોશી, મોહનભાઇ કુંડારિયા, કમલેશભાઈ મીરાણી, અંજલિબેન રૂપાણી, અંજનાબેન મોણજરિયા, મેહુલભાઈ રૂપાણી,પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. તથા સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.