Abtak Media Google News

બેંકની સમસ્યાનો ઉકેલ માત્ર કાયદા દ્વારા જ શોધવામાં આવશે: ડો. પીપરીયા

સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો. ઓપ. બેંક ફેડરેશનના પદાધિકારીઓની મીટીંગ રાજકોટ ખાતે યોજાયેલ હતી આ મીટીંગમાં સૌરાષ્ટ્રભરનાં સહકારી ક્ષેત્રોની બેંકોનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોર્પોરેટ ગર્વનન્સના સિધ્ધાંતોના પરિપેક્ષમાં વહીવટ કરવા માટે ફેડરેશનના સીઈઓ તરીકે લીગલ આસ્પેકટ ઓફ બેકીંગ વિષય ઉપર પીઅચેડી કરનાર અને કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પરૂષોતમ પીપરીયાની નિમણુંક કરવામાં આવતા સહકારી ક્ષેત્રનાં રાજય અને રાષ્ટ્રકક્ષાના આગેવાનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓપરેટીવ બેંક ફેડરેશનના પ્રમુખ વિક્રમભાઈ તન્નાએ જણાવેલ કે ડો. પૂ‚ષોતમ પીપરીયાની એસકેયુસી બેંક ફેડરેશનના સીઈઓ તરીકેની નિમણુંકથી સહકારી બેંકોના પ્રશ્નને વાચા આપવા કાયદાનું બળ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે ગુજરાત અર્બન કો.ઓપ બેંક ફેડરેશનના પ્રમુખ જયોતિન્દ્રભાઈ મહેતાએ જણાવેલ હતુ કે સહકારી બેંકોના વિકાસને અવરોધતા પ્રશ્નોના નિવારણ માટે રાજય અને કેન્દ્ર સરકારના સહકાર અને નાણા વિભાગને રજૂઆત કરેલ અને રજુઆત અન્વયે નિરાકરણ થયેલ પ્રશ્નો બાબતે ઉપસ્થિત બેંક આગેવાનોને અવગત કરાવ્યા હતા.

બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટેના રેગ્યુલેટરી ઓથોરીટીએ રજૂ કરેલ ડ્રાફટ મુસદા પૈકી કેટલાક મુદાઓ બેંકના વહીવટમાં દખલગરી સમાન હોય તેનો જોરદાર વિરોધ કરી લેખીતમાં વાંધા સ્વરૂપે રજૂ કરાશે તેજ રીતે યુનીક અને તાલુકા લેવલની બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ માટે પ્રોફેશનલો મળવા મુશ્કેલ છે. એટલું જ નહી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને સીઈઓને હટાવવાની સતાઓ બેંકના જનરલ બોર્ડ અને સહકારી કાયદા હેઠળ હોવા છતાં રીઝર્વ બેંક હસ્તક આવવાથી વિરોધાભાષી નિર્ણય થવાની સંભાવનાઓ છે.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો. ઓપરેટીવ બેંક ફેડરેશનના મંત્રી હારિતભાઈ મહેતાએ જણાવેલકે સહકારી બેંકોએ પણ વાણિજયક બેંકો સામે હરીફાઈમા ટકવા માટે અસરકારક પગલાઓ લઈ રહી છે. ફળ સ્વરૂપે કો.ઓપરેટીવ બેંકોનું ગ્રોસ એનપીએ ૧૨%થી વધુ હતુ તેમાં ધરખમ ઘટાડો થઈ આજે ૫%ની આસપાસ થયેલ છે.

જયારે પબ્લીક સેકટર બેંકોનાં એનપીએમાં નોંધપાત્ર રકમનો વધારો થતા પ્રવર્તમાન સંજોગોમાં તેમનું એનપીએ ૧૨%થી વધુ થયાનો અંદાજ છે. કો.ઓપરેટીવ બેંકોમાં એનપીએ ઘટવાનું મુખ્ય કારણ સહકારી બેંકોનાં બોર્ડ ઓફ ડિરેકટર્સએ ગૂડ ગર્વનન્સ પોલીસીને અપનાવી પારદર્શક વહીવટ કરેલ હોવાનું છે.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓપરેટીવ બેંક ફેડરેશનના નવનિયુકત સીઈઓ ડો. પુરૂષોતમ પીપરીયાએ જણાવેલ હતુ કે પ્રાઈવેટ બેંકો છૂપા અને તગડા ચાર્જીસથી ગ્રાહકોને આડકતરી રીતે ચૂસીરહ્યા છે. ત્યારે કો. ઓપરેટીવ બેંકો ચાર્જલેસ અથવા પારદર્શક કિફાયતી ચાર્જથી કસ્ટમરોને સર્વીસ આપી રહી હોવાથી ગ્રાહક સંતુષ્ટ થઈ સહકારી બેંકો તરફ વળી રહ્યા હોય સહકારી બેંકો નોંધપાત્ર વિકાસના પંથે કુચ કરી રહી છે.

તે નોંધનીય બાબત છે. અન્ય બેંકોની સરખામણીમાં સહકારી બેંકો કોઈપણપ્રકરના પડકારોને પહોચી વળવા માટે સક્ષમ છે. અને બેંકોને રેરા એકાઉન્ટ બખોલવા, ગર્વમેન્ટની સબસીડી મળવા, લવાદ કોર્ટ અને ટ્રીબ્યુનલમાં જજની ખાલી જગયાઓભરવા, સિકયુરીટાઈઝેશન એકટને પૂન: લાગુ કરવા, સહકારી કાયદાની કલમ ૮૪ (૮) હેઠળના ઈન્સ્પેકશન બેંકોને લાગુ ન હોવા છતાં ખાતા તરફથી કરવામાં છે તે રદ કરવા સહિતની અનેક સમસ્યાઓનાંનિવારણ અને વાચા આપવા માટે સરકાર અને કોર્ટ સમક્ષ કાયદાના પ્રાવધાનો હેઠળ દાદ માંગવામાં આવશે.

ડો.પીપરીયાએ વધુમાં જણાવેલ કે બિન જરૂરી આંદોલન, દેખાવો કરવાથી રાષ્ટ્રની શાખ અને મિલ્કત ઉપર વિપરીત અસર થવાથી રાષ્ટ્રને નુકશાન થતુ હોય, બેંકની સમસ્યાનો ઉકેલ માત્ર કાયદા દ્વારા જ શોધવામાં આવશે.

પોરબંદર નાગરીક સહકારી બેંકના ચેરમેન અનિલભાઈ કારીયા સહકારી ક્ષેત્રે ડો. પુરૂષોતમ પીપરીયાની નિમણુંકને આવકારી જણાવેલ કે સહકારી બેંકોનાં સમસ્યાઓના ઉકેલ માટે ડો. પુરૂષોતમ પીપરીયા સહકારી તજજ્ઞ જયોતિન્દ્રભાઈ મહતા, વિક્રમભાઈ તન્ના તેમજ હારિતભાઈ મહેતા સહિતની તજજ્ઞની ટીમ સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો. ઓપરેટીવ બેંક ફેડરેશનને ઉપલબ્ધ થવાથી સહકારી બેંકો માટે દિવાદાંડીની ગરજ સારશે તેમ છતાં ફેડરેશનના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ અશ્વીનભાઈ મહેતાના ખાલીપાને કયારેય ભરી શકાશે નહી. આ પ્રંસગે જામનગર પિપલ્સ કો-ઓપ. બેંકનાં મેનેજીંગ ડિરેક્ટર વિનુભાઈ તન્ના તેમજ જામનગર મહીલા કો-ઓપ. બેંકના ચેરમેન ઉર્મીબેન મહેતા ઉપસ્થિત રહી વિસ્તૃત છણાવટ સાથે ઉપયોગી સુચનો કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.