Abtak Media Google News

૩૦ ગામોના સરપંચો-ઉપસરપંચો હોદેદારોએ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા

રાજકોટ જીલ્લાના ધોરાજી માં  શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી નાં સરદાર ચોક જેતપુર રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પર હારતોરા કરી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જેમાં ધોરાજી ની તાલુકા પંચાયત નાં ૩૦ ગામ નાં સરપંચો ઉપસરપંચો હોદ્દેદારો ઉપપ્રમુખ પ્રમુખ તથા ટીડીઓ સહીતના ઓએ હારતોરા કરવામાં આવ્યા તો ધોરાજી ભાજપ નાં હોદ્દેદારો કાર્યકર્તા આગેવાનો સામાજિક સંસ્થા ઓ નાં હોદ્દેદારો ઉપસ્થિત રહીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પર હારતોરા કર્યા હતાં અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જય સરદાર જય સરદાર જય સરદાર સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ  જયંતિ ભવ્યતા રીતે ઉજવાય હતું સરદાર કોઈ જ્ઞાતિ જાતિ કે સમાજ નહીં પરંતુ ભારત દેશ નાં હતાં…છે … અને રહેશે આમ ધોરાજી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે લોકો દ્વારા અનેક કાર્યક્રમ પણ યોજાયા હતા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.