Abtak Media Google News

પ્રાર્થનાસભા સાથે મૃતક વિદ્યાર્થીઓને પુષ્પાંજલિ અર્પણ કરાઈ: ખોડલધામમાં ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં

સુરતમાં આગમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં આવેલા સરદાર પટેલ ભવનમાં ૨૭મેના રોજ સાંજે પ્રાર્થના સભા યોજાઈ હતી. ખોડલધામ ટ્રસ્ટ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.02

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા અને મૃતક વિદ્યાર્થીઓને પુષ્પાજંલિ અર્પી હતી. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ હાજર રહી મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મૃતક વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળે તે માટે મા ખોડલ અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મૃતક વિદ્યાર્થીઓના પરિવારને આવી પડેલી આફતનો સામનો કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.