કોવિડ-૧૯ મહામારી અન્વયે જામનગર શહેર તેમજ આસપાસના ગામડાઓમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી અનાજ-કરિયાણુ વગેરે વસ્તુઓ જથ્થાબંધ તેમજ છુટક ખરીદી કરવા માટે શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં વેપારીઓ તેમજ શહેરીજનો આવતા હોય છે. વેપારીઓ તેમજ શહેરીજનોની સુરક્ષા માટે સમગ્ર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ, ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની કામગીરી કરાવવા અંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી મેયર હસમુખભાઈ જેઠવા, ડે.મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા સર્વે દ્વારા સૂચન આવતા. સોલીડ વેસ્ટ શાખાના અધિકારીએ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સમૂહ સફાઈ ડીડીટી છંટકાવ, સેનિટાઈઝેશનની વગેરે કામગીરી હા ધરવામાં આવી. આ સમયે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, વેપારી અગ્રણી રમેશભાઈ દત્તાણી, મહાનગર પાલિકાના અધિકારી મુકેશ વરણવા તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ.
Trending
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા
- વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ: છાત્રો થયા ‘સંકલ્પબધ્ધ’