Abtak Media Google News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ સતત વિરોધના માહોલમાં જ છે રાજસ્થાનના ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરોએ પણ પદ્માવતી સાથે જોડાયેલ ખટપટને ઉકેલવા સુધી થીયેટમાં રીલીઝ કરવાથી ઇનકાર કર્યો છે અનેક રાજનેતાઓએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. એવામાં એક્ટર સલમાન ખાન ફિલ્મનાં સમર્થનમાં આગળ આવ્યો છે અને કહ્યું કે જે પહેલાં ફિલ્મ વિશે કોઇ અભિપ્રાય આપવો એ સારી વાત નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ખામોશી, હમ દિલ દે ચુકે સનમ, સાંવરિયા જેવી ફિલ્મોમાં ભંસાલી સાથે સલમાન ખાન કામ કરી ચુંક્યો છે તેના કહેવા અનુસાર ભણસાલી એક મહાન ફિલ્મ નિર્માતા છે. ફિલ્મ પદ્માવતી જોયા પહેલાં કોઇ નિર્ણય ન લેવો જોઇએ. સંજય લીલા ભણસાલી સારી ફિલ્મો બનાવે છે તેમજ તેની ફિલ્મોમાં કાંઇ ખોટુ હોતુ નથી. આ બાબતે કોઇ પણ નિર્ણય કરવો એ કેન્દ્રિય સેન્સર બોર્ડનાં હાથમાં છે કે ફિલ્મ રિલીઝ માટે યોગ્ય છે કે નહિં એ જાણીએ કે ફિલ્મમાં દિપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શાદિહ કપુર રાજા રાવલ રતન સિંહની ભૂમિકામાં જોવા મળશે. તેમજ રણવીર સિંહ અલાઉદ્ીન ખિલજીની પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરએ રીલીઝ થવા જઇ રહી છે તો જોવું રહ્યું કે આટલાં વિવાદો વચ્ચે પણ ફિલ્મનું રીલીઝ અને તેની સફળતા અંગે કેવા પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.