Abtak Media Google News

પાક વિમાની રકમ ન મળતાં આત્મહત્યા કર્યાનું પરિવારજનોનો આક્ષેપ

સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ નહિવત વરસાદ પડતાં અનેક ખેડુતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે સાયલા તાલુકાના નાગડકા ગામના ખેડુતે પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારજનો સહીત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતાં અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હિરાભાઇ જીવાભાઇ પરમારે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા મોત નિપજયું હતું. ત્યારે પાક વિમાની રકમ નહીં મળતા અને ચાલુ વર્ષે વરસાદના અભાવે પાક નિષ્ફળ જતા માનસીક રીતે કંટાળી ખેડુતે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.