ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. તેમજ ટિફિન આપવામાં આવે છે. તાજેતરમાં ચાતુર્માસ બિરાજમાન તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્રી મુકત-લીલમ-ભદ્ર ગુરુણીના પ્રવચન પ્રભાવિકા હસ્મિતાજી મ.સ.ની પ્રેરણાથી ધોરાજી નિવાસી હાલ કલકતા હરકુંવરબેન રતિલાલ શાહ તરફથી રૂા.૩ લાખનું દાન અર્પણ કરાયું છે. તેમજ પારસમૈયા ગુરુભકતે રૂા.૩૧ હજાર અને અન્ય દાતાઓએ મિષ્ટ ભોજન અને સાદા ભોજનની તિથિનો લાભ લીધેલ. પૂ.જયંતિલાલ મ.સા.નું પ્રથમ ચાતુર્માસ ધોરાજીમાં થયેલ તે સ્મૃતિમાં દશેરાના જન્મદિનની ખુશાલીમાં અનંતભાઈ શાહે લાભ લીધેલ છે. સંઘપ્રમુખ શરદભાઈ દાસાણી, કમલભાઈ મોદી વગેરે સુંદર વ્યવસ્થા સંભાળે છે. રૂા.૧૦૦૦/- ના ગુણાંકમાં ગમે તેટલા ટિફિનનો લાભ લઈ શકાશે. વધુ વિગત માટે મો.૯૮૨૫૨ ૨૧૮૩૯નો સંપર્ક કરવો.
Trending
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત
- સાબરકાંઠામાં ભાજપનો ડખ્ખો જામ્યો: તમામ બેઠકો તાકિદે રદ