Abtak Media Google News

વનબંધુઓને જમીનની માલિકીના હક્ક પત્રોનું ડિજિટલી વિતરણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વનવાસી ક્ષેત્રોમાં શાળા, કોલેજ, રસ્તા, પાણી અને વીજળીના પાયારૂપ વિકાસ કામો માટે રૂા.૧ લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવ્યા હોવાનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવાયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉમરગામના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ૨૯૯ હેકટર વન જમીનના માલીકીના આદેશ-હક્કપત્રોનું ડિજીટલી વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રીએ વનબંધુઓના કારણે જ રાજ્યમાં વનો, વનસંપદા અને વન્ય પ્રાણી સૃષ્ટિ સુરક્ષિત રહ્યા છે તેમ આ સનદી વિતરણ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

સદીઓથી જંગલ જમીન ખેડતા અને વનોનું જતન સંવર્ધન કરતા વનબંધુઓને જમીન હક્ક આપી જમીન માલિક બનાવવાના રાજ્યસરકારના અભિગમ રૂપે આ સનદ વિતરણ કોરોના સંક્રમણને કારણે ડિઝીટલી તથા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે યોજવામાં આવ્યોહતો. અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે.  આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવાઓ અન્વયે ૧૧ લાખ ૬૦ હજારથી વધુ એકર જમીન મંજુર કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  વીડિયો કોન્ફરન્સથી સૌ વનબંધુ લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે પેસાએકટનો સુચારૂ અમલ કરીને વનવાસીઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજના વેચાણ હક્કો-માલિકી હક્કો આપીને સ્થાનિક વિકાસ માટેના નવા દ્વાર ખોલ્યા છે.  મુખ્યમંત્રીએ વનવાસી ક્ષેત્રોમાં શાળા, કોલેજ, રસ્તા, પાણી, વીજળીના પાયારૂપ વિકાસ કામો માટે ૧ લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવેલા છે તેમ પણ જણાવ્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા કપરાડાથી આ વિડીયો-ડિઝીટલ  સનદ અધિકારપત્ર વિતરણ કાર્યક્રમમાં  જોડાયા હતા અને સ્થળ પર પ્રતિકરૂપે તેમણે સનદ અધિકારપત્રોનું વિતરણ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.