Abtak Media Google News

રોહિત શર્મા ૧૫૦ રન બાદ મયંક અગ્રવાલે ફટકારી તેની પ્રથમ સદી

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ઓપનીંગ જોડીએ રંગ રાખી બંને ઓપનરોએ સદી ફટકારી છે. જેમાં ઓપનર મયંક અગ્રવાલે તેની પ્રથમ સદી ફટકારી છે. દર વખત ભારત માટે ટેસ્ટ મેચમાં ઓપનીંગ જોડી ખુબ જ મહત્વની રહેતી હોય છે ત્યારે અનેક સમય ભારત ટીમ માટે ઓપનીંગ જોડી માથાનો દુખાવો સાબિત થતી હતી ત્યારે વિશાખાપટનમ ખાતે પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલે સદી ફટકારી ટેસ્ટ માટે ઓપનીંગનું પદ માટે યોગ્ય દાવેદારી નોંધાવી છે.

રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે જ સદી ફટકારીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. રોહિત પ્રથમ વખત ટેસ્ટમાં ઓપનિંગમાં આવ્યો અને ઓપનર તરીકે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે શાનદાર સદી ફટકારી છે. જોકે, આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન જેવી સિદ્ધિ પણ નોંધાવી દીધી છે. ઘરઆંગણે રમતા બ્રેડમેનની એવરેજ ૯૮.૨૨ની રહી છે. બ્રેડમેને ઘરઆંગણે ૫૦ ઈનિંગ્સમાં ૯૮.૨૨ની સરેરાશ સાથે ૪૩૨૨ રન નોંધાવ્યા છે જ્યારે રોહિતે ૧૫ ઈનિંગ્સમાં આટલી જ એવરેજથી ૮૮૪ રન નોંધાવ્યા છે.

પ્રથમ દિવસના અંતે રોહિત ૧૧૫ રને નોટ આઉટ રહ્યો છે જયારે બીજા દિવસે મયંક અગ્રવાલે સદી નોંધાવી હતી.  તેણે જણાવ્યું હતું કે હું આ તકનો ફાયદો ઉઠાવવા ઈચ્છતો હતો અને તેથી જ મેં મેનેજમેન્ટને પણ તેની જાણ કરી હતી. હું તેમનો આભારી છું કે તેમણે મને આ તક આપી અને મને ખુશી છે કે હું રન નોંધાવવામાં સફળ રહ્યો. પોતાના બેટિંગ પ્લાન અંગે વાત કરતા ૩૨ વર્ષીય બેટ્સમેને જણાવ્યું હતું કે મારે શું કરવાનું છે તેને લઈને હું એકદમ સ્પષ્ટ હતો. ભલે ટેસ્ટ હોય કે માર્યાદિત ઓવર્સનું ક્રિકેટ હોય પરંતુ નવા બોલથી શરૂઆતની ઓવર્સમાં થોડી તકલીફ પડે છે.

હું ઘણા લાંબા સમયથી ભારતમાં ક્રિકેટ રમી રહ્યો છું અને તેથી અહીંની પરિસ્થિતિને વધારે સારી રીતે જાણું છું. મને ખબર છે કે જો તમે પ્રથમ ૧૦ ઓવર્સ રમી લેશો તો પછી હરીફ ટીમને વિકેટ ઝડપવામાં મુશ્કેલી નડશે અને રન પણ સરળતાથી આવવા લાગશે. મારી રણનીતિ હતી કે હું નવા બોલનો સામનો કરીને સટ થવાનો પ્રયાસ કરું અને બાદમાં રન નોંધાવું. હું મારી રણનીતિને વળગી રહ્યો. હું સતત મારી જાતને પણ પ્રોત્સાહિત કરતો રહ્યો હતો, તેમ તેણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.