બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરના મુખ્ય એવો પોલીસ સ્ટેશનથી કુંકાવાવ નાકા લોહાણા સમાજની વાડી સુધી તેમજ કુંકાવાવ નાકાથી સ્વામિનારાયણ મંદિર સુધીના આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ રસિલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેશ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રિબડીયા, રશ્મિનભાઈ ડોડીયા, ધીરુભાઈ કોટડીયા, કનુભાઈ પટોળીયા, રાજુભાઇ ગીડા, જયંતીભાઈ વેકરિયા, મનોજભાઈ મહિડા, અનિલભાઈ વેકરિયા સહિતના આગેવાનો ની હાજરીમાં એ.વી. પટેલ ચોક ખાતે શાસ્ત્રો વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. નગરપાલિકા દ્વારા આ મુખ્ય એવા રોડ સાથે અપાસરા ચોકથી બાયપાસ પેટ્રોલપંપ સુધી વરસાદના પાણીના નિકાલના પાઇપલાઈનનું કામ પણ હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં આર.સી.સી. રોડમાં રૂપિયા ૪.૧૮ કરોડનો ખર્ચ તેમજ વરસાદી પાણીના નિકાલનો ૮૩ લાખ સહિત કુલ ૫ કરોડ જેવી રકમના કામોનું ખાતમુહૂર્ત થતા લોકોમાં આનંદ ની લાગણી જોવા મળેલ છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’