Abtak Media Google News

સોનાના રાઉન્ડ ટ્રિપિંગ પર નિયંત્રણ લાદવા માટે સરકારે ૨૨ કેરેટ કે તેનાથી વધુની શુઘ્ધતા ધરાવતા સોનાના આભૂષણોની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે

સોનાના રાઉન્ડ ટ્રિપિંગ પર નિયંત્રણ લાદવા માટે સરકારે ૨૨ કેરેટ કે તેનાથી વધુની શુદ્ધતા ધરાવતા સોનાનાં આભૂષણો, મેડેલિયન્સ તથા અન્ય આર્ટિકલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ડીજીએફટીએ જણાવ્યું છે કે, સોનાનાં આભૂષણો (સાદાં અથવા જડતરવાળાં) અને ૮ કેરેટ કે તેનાથી વધુ મહત્તમ ૨૨ કેરેટની મર્યાદામાં સોનું ધરાવતા આર્ટિકલ્સની ડોમેસ્ટિક ટેરિફ એરિયા અને ઇઓયુ, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર પાર્ક્સ, સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ તથા બાયો ટેક્નોલોજી પાર્ક્સમાંથી નિકાસ માટે વિદેશ વેપાર નીતિ (૨૦૧૫-૨૦)ની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરાયો છે. જેનો અર્થ એ થયો કે ચોક્કસ સેક્ટર આધારિત નિકાસ માટેના આ પાર્ક્સ સહિતના પાર્ક્સમાંથી ૨૨ કેરેટ કે તેનાથી વધુની શુદ્ધતા ધરાવતા સોનાનાં આભૂષણો, મેડેલિયન્સ તથા અન્ય આર્ટિકલ્સની નિકાસ માટે કોઈ નિકાસકારને મંજૂરી અપાશે નહીં.ડીજીએફટીએ વધુમાં જણાવ્યું હતું કે ૮ કેરેટ્સ અને મહત્તમ ૨૨ કેરેટ્સથી વધુ નહીં તેવાં સોનાનાં આભૂષણ અને અન્ય આર્ટિકલ્સની નિકાસ કરનારા નિકાસકારો જ ઇન્સેન્ટિવ્સ લઈ શકશે. જીજેઇપીસીના અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક નિકાસકારો ૨૨ કેરેટથી વધુની સોનાની ચીજ-વસ્તુઓમાં આંશિક મૂલ્યવર્ધન કરી નિકાસ પ્રોત્સાહનોનો ખોટી રીતે લાભ લેતા હતા. આ શક્ય નથી કેમ કે ભારત સોનાનો ચોખ્ખો આયાતકાર દેશ છે અને કોઈ પણ વેપારી ૨૨ કેરેટથી વધુનું સોનું આયાત કરી તેમાં કોઈ વેલ્યૂ એડિશન કર્યા વગર યથાવત્ તેની નિકાસ ન કરે.નાણાકીય દૃષ્ટિએ આ કારોબાર શક્ય નથી. આવો જ મત વ્યક્ત કરતાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે આ અધિસૂચના દ્વારા ૨૨ કેરેટ કે તેનાથી વધુની ગોલ્ડ જ્વેલરી અને અન્ય આર્ટિકલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે તેનાથી સોનાનાં આભૂષણોની નિકાસને ખાસ અસર નહીં થાય કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ ઘણી ઓછી છે.દક્ષિણ કોરિયામાંથી સોનાની આયાતમાં થઈ રહેલા નોંધપાત્ર વધારા અંગે ભારતીય સોનાના વેપારીઓએ વ્યક્ત કરેલી ચિંતા બાદ ડીજીએફટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. દક્ષિણ કોરિયાથી સોનાની આયાત ૨૦૧૬-૧૭માં ૭.૦૪ કરોડ ડોલર હતી, જે વધીને ચાલુ નાણાકીય વર્ષના ૧ જુલાઈથી ૩ ઓગસ્ટમાં ૩૩.૮૬ કરોડ ડોલર નોંધાઈ હતી.૨૦૧૬-૧૭ના સમગ્ર વર્ષ દરમિયાન આયાત ૪૭.૦૫ કરોડ હતી. ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે જાન્યુઆરી ૨૦૧૦થી મુક્ત વેપાર સમજૂતી થયેલી છે જેને પગલે સોના પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી દૂર કરાઈ છે. સોનાના વપરાશના મામલે ભારત વિશ્વમાં ચીન બાદ બીજો ક્રમ ધરાવે છે. સોનાની મોટા ભાગની આયાત જ્વેલરી ઉદ્યોગની જરૂરિયાત માટે કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.