Abtak Media Google News

હળવદ મામલતદારને પત્રકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યું : જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તમામ સરકારી કાર્યક્રમોનું કવરેજ કરવાનો બહિષ્કાર કરાશે

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના હત્યા કેસમાં પોલીસે આરોપીંઓને ઝડપી લઈ યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે સાથે જ આજે પત્રકાર સંઘ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત શનિવારના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

ચિરાગની લાસ કંઠવાડા પાસે અવાવરૂ જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ હતી અને આ રહસ્યમય હત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે હત્યાના પાંચ પાંચ દિવસ વિતવા છતા પણ હજુ કાઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા હળવદ પત્રકાર સંઘે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.