Abtak Media Google News

ટંકારમાં આજે મેઘતાંડવ થવાથી સમગ્ર ટંકારા પંથક બેટમાં ફેરવાયો હતો અને ટંકારામાં કેડ સમા પાણી વચ્ચે પોલીસ અને મામલતદાર તેમજ ટંકારા સામાજિક કાર્યકર ની ટીમના સભ્યો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 42 લોકોને બચાવાયા હતા.

21690E31 110D 4C6A 96B9 5De6Ae61Cdd2

ટંકારામાં આજે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ બતાવીને આખા ટંકારા પંથકને ધમરોળી નાખ્યો હતો.જેથી સમગ્ર ટંકારા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ટંકારાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. ઉપરાંત કલ્યાણપર રોડ પર આવેલા વોકળાના કાંઠે 42 સભ્યો ધરાવતો કાંગશીયા પરિવાર ફસાયો હતો. જેના માટે પોલીસ અને મામલતદાર તેમજ મોરબી અપડેટની ટંકારાની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કેડ સમાં પાણી વચ્ચે 42 લોકોને બચાવાયા હતા. બાદમાં આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

https://www.facebook.com/abtakmedia/videos/941121239560084/
Whatsapp Image 2019 08 10 At 5.55.57 Pm

આ તકે પ્રાંત અનિલ કુમાર ગૌસ્વામી મામલતદાર પંડયા પિ એસ આઈ લલિતાબેન બગડા ખેતી વાડી અધિકારી ગજેરા સહિત ના દોડી સ્થાનિક તરવૈયા અને આગેવાનો ની મદદ થી 42 લોકો ને હેમખેમ બહાર કાઢી લિધા છે

Whatsapp Image 2019 08 10 At 5.56.00 Pm

કોગેસના ભુપત ગોધાણી, કલ્યાણપર સરપંચ વાધરિયા સુરેશભાઈ સવસાણી હેમંત ચાવડા મુનાભાઈ તરવૈયા ભારે જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.