રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભલે રાજયના ફરવાના સ્થળે અનેક પાયાની સુવિધાઓ ન અપાતી હોય પરંતુ વિભાગ દ્વારા તાલીમ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં ૧૨૦૨ તાલીમાર્થીઓને ૩૨૫.૫૩ લાખ રૂપિયા અને ૨૦૧૬ના વર્ષમાં ૭૦૯૪ તાલીમાર્થીઓને ૧૦૬૪.૮૮ લાખ રૂપિયાના ખર્ચે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપવાનું કામ ખાનગી સહિતની સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું. બન્ને વર્ષના મળીને ૧૩.૮૯ કરોડ રૂપિયા ફક્ત તાલીમ પાછળ વપરાયા હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશીભાઇ પટેલના એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. ૨૦૧૬ના વર્ષની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કઇ ખાનગી સંસ્થાને કેટલી રકમ ચૂકવીને તાલીમની કામગીરી સોંપવામાં આવી તેની જાણકારી માગવામાં આવી હતી. જેના જવાબમાં પ્રવાસન વિભાગના મંત્રી દ્વારા જણાવાયું હતું કે, ૧૨ જેટલી સંસ્થાને નક્કી કરેલી રકમ સાથે તાલીમની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કેટલીક ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થતો હતો. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તે માટે આ સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જે સંસ્થાઓને તાલીમની કામગીરી સોંપાઇ હતી તેમાં ગાંધીનગરની કેમ્બે ઇન્સ્ટીટ્યુટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. જેને ૫.૬૭ લાખ રૂપિયા સાથે કામ આપવામાં આવ્યું હતું.
Trending
- કોફી લીવરમાંથી ચરબી દૂર કરશે! નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરરોજ કેટલા કપ પીવા જોઈએ
- IPL 2024 : RCBની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં કઈ પરંપરાને આગળ વધારશે ???
- યામી ગૌતમની ફિલ્મ ‘Article 370’ હવે OTT પર પણ ધૂમ મચાવવા આવી રહી છે
- તમે પણ નોકરી કરો છો? તો આ લેખ તમારા માટે છે…
- 23 એપ્રિલે ચૈત્ર પૂનમની રાત્રે આકાશમાં દેખાશે ‘પિંક મૂન’, જાણો શું છે તેનું મહત્વ
- પતિ વિવેક દહિયા હોસ્પિટલમાં દાખલ દિવ્યાંકા ત્રિપાઠીને મળવા પહોચ્યા
- બ્લેક ફ્રાઇડે : યુદ્ધની દહેશત વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ
- કામદા અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ